બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Govt Eases Covid-19 Rules For International Passengers, Drops Random RT-PCR Tests On Arrival
Hiralal
Last Updated: 04:11 PM, 19 July 2023
હાલમાં ભારત કે દુનિયામાં ક્યાંય પણ કોરોનાના કોઈ વાવડ નથી અને આવી સ્થિતિમાં દેશો પોતપોતાની જરુરિયાત અનુસાર કોરોના પ્રતિબંધો કે નિયમોમાં ઢીલ આપી રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાના કેસો લગભગ શૂન્ય છે અને તેથી કેન્દ્ર સરકારે એક મોટો નિયમ હટાવ્યો છે.
Govt eases Covid guidelines for international travellershttps://t.co/QdtMfljj6P
— Press Trust of India (@PTI_News) July 19, 2023
(FILE PHOTO) pic.twitter.com/8JLmgmJtBY
વિદેશથી આગમન પર આરટી-પીસીઆર ટેસ્ટની જરુર નહીં
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ ગાઈડલાઈન્સને હળવી કરીને જાહેરાત કરી છે કે હવેથી વિદેશથી આવતા ઈન્ટરનેશનલ પ્રવાસીઓએ રેન્ડમ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરુર રહેશે નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શું એલાન કર્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે પ્રવર્તમાન કોવિડ -19 પરિસ્થિતિ અને વિશ્વભરમાં કોવિડ -19 રસીકરણ કવરેજમાં કરવામાં આવેલી નોંધપાત્ર સિદ્ધિઓની નોંધ લેતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ -19 ના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન્સને વધુ સરળ બનાવી છે. આ નવી ગાઈડલાઈન્સ દ્વારા, જે 20 જુલાઈ 2023થી અમલમાં આવશે, ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ 2% ટેસ્ટની હવે જરુર નથી.
સાવચેતીના પગલાં ભરવાનું ચાલું રાખવું પડશે
મંત્રાલય દ્વારા એવું પણ જણાવાયું છે કે એરલાઇન્સ તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોનાના અગાઉના સાવચેતીના પગલાં ભરવાનું ચાલું રાખવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ