બ્રેકિંગ ન્યુઝ
હાલમાં દેશમાં સાયબર ક્રાઈમનાં કેસ વધતા જ જાય છે. લોકો સાથે નવી નવી રીતે છેતરપીંડી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભારત સરકાર એક એવી રણનીતિ તૈયાર કરી રહી છે જેમાં છેતરપિંડી કરનારાઓની તરત જ ઓળખ થઈ જશે. ગૃહ મંત્રાલય, SBI કાર્ડ્સ અને ટેલિકોમ ઓપરેટરોએ સાયબર ફ્રોડ અને ફિશિંગ હુમલાના વધતા જોખમને પહોંચી વળવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે ફ્રોડથી મેળવેલા વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP) વિશે ચેતવણી આપવાનું મિકેનિઝમ બનાવવાની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોના મતે, એક ખાસ સોલ્યુશનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેના હેઠળ ગ્રાહકનાં નોંધાયેલ સરનામાની સાથે-સાથે તેના સિમનું જિયો લોકેશન અને OTP જે જગ્યા પર મંગાવવામાં આવે છે, એ સ્થાન સાથે મેચ કરવામાં આવશે. આની વચ્ચે જો કોઈપણ વિસંગતતા જોવા મળે છે તો ગ્રાહકને સંભવિત ફિશિંગ હુમલા અંગે ચેતવણી આપી શકાય છે.
ADVERTISEMENT

રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ સોલ્યુશન તૈયાર કરવામાં આવી રહ્યું છે પરંતુ પ્લાન મુજબ ટેલિકોમ કંપનીઓની મદદથી ગ્રાહકના ડેટાબેઝને ચેક કર્યા પછી જ OTP મોકલવામાં આવશે. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે છેતરપિંડીનો સામનો કરવા માટે કોઈપણ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન માટે પ્રમાણીકરણ માટે એક વધુ તપાસ કરવા પર જોર આપ્યું હતું, પરંતુ છેતરપિંડી કરનારાઓ બેંક ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને OTPની ચોરી કરીને અથવા છેતરપીંડી કરીને OTPને પોતાના ડિવાઈસ પર ફરી મોકલવાની યુક્તિઓ તૈયાર કરી ચુક્યા છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, વ્યૂહરચના અંતર્ગત બે વિકલ્પો પર કામ કરવામાં આવી રહ્યું છે, જો OTPની ડિલિવરીની જગ્યા અને ગ્રાહકના સિમના સ્થાન વચ્ચે કોઈ પણ તફાવત જોવા મળે છે, તો કાં તો ડિવાઈસ પર એલર્ટ પૉપ અપ કરી શકાય છે અથવા OTPને સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT
મોબાઈલમાંથી પૈસા ચોરવાની ગેમમાં OTP મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કસ્ટમર કેર એજન્ટ અને મિત્રો બનીને OTP મેળવીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. તેમજ ઘણી વખત સિમ બંધ થવાનો, બેંક એકાઉન્ટ બંધ થવાનો અને વીજળીનું કનેક્શન કાપી નાખવાનો ડર બતાવીને કેવાયસી અપડેટના નામ પર OTP ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારનાં ઓનલાઈન ફ્રોડ મોટાભાગે ચીન, કંબોડિયા અને મ્યાનમારમાંથી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: '2 કલાકમાં બ્લોક થઈ જશે સીમ!' આવો ફોન આવે તો ચેતી જજો, તાત્કાલિક કરજો આ કામ
ADVERTISEMENT
જો તમારી સાથે ઓનલાઈન ફ્રોડ થાય તો સૌથી પહેલા તમારે તરત જ તેની ફરિયાદ કરવી જોઈએ. તમારે તરત જ તમારી બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપનીને જાણ કરીને આ છેતરપિંડીની જાણ કરવી જોઈએ અને તમારું કાર્ડ અથવા એકાઉન્ટ બ્લોક કરાવવું જોઈએ જેથી કરીને તમારા ખાતામાંથી વધુ પૈસા ચોરાઈ ન શકે. આ પછી, તમારે તરત જ તેના વિશે ઓનલાઈન ફરિયાદ કરવી જોઈએ, જે તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જઈને કરી શકો છો. આ સિવાય તમારે પોલીસ સ્ટેશન જઈને સાયબર ક્રાઈમ સેલમાં ત્રીજી ફરિયાદ નોંધાવવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.