બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Govermant Ayurved Pharmacy College Hospital Rajpipla gujarat
Hiren
Last Updated: 11:07 PM, 29 April 2022
આયુર્વેદનો આ દુનિયામાં કોઈ તોડ નથી. પણ હાલના સમયમાં આપણે અત્યારે એલોપેથી તરફ આકર્ષાયા છીએ. પરંતુ કોરોનાએ લોકોની માનસિકતા જ બદલી નાખી છે. ફરી એકવાર આયુર્વેદ તરફ લોકોનું ધ્યાન દોર્યું છે. ત્યારે આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવીશું જે આયુર્વેદનું હબ છે. અહીંથી રાજ્યભરમાં આયુર્વેદ ઉપચાર માટે દવાઓ પહોંચે છે. સાથે જ લોકોની સારવાર પણ થાય છે.
ક્યાં આવેલું છે આ આયુર્વેદનું હબ ?
આયુર્વેદ... એટલે કે, શરીર, મન અને આત્માનો સુમેળ લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન ભૂમિમાં વિકસેલ, આયુર્વેદ, જીવનનું વિજ્ઞાન અને લાંબી આવરદા, વિશ્વમાં સૌથી જુનું આરોગ્ય સંભાળ તંત્ર છે અને તે દવા તથા તત્ત્વજ્ઞાનના ગહન વિચારોને સંયોજે છે. પરંતુ સમય સાથે આપણે ત્યાં લોકો આયુર્વેદથી ઉપર એલોપેથીને માનતા થયા છે. પરંતુ કોરોનાની મહામારી પછી ફરી એકવાર વિશ્વ આયુર્વેદ તરફ વળ્યું છે. તાજેતરમાં જ જામનગર ખાતે પ્રધાનમંત્રી મોદીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદનું લોકાર્પણ કર્યું. પરંતુ તમે એ નહીં જાણતા હોય કે, હાલમાં પણ ગુજરાતમાં રાજપીપળા ખાતે આયુર્વેદનું હબ આવેલું છે. જ્યાં 600થી વધું આયુર્વેદીક દવાઓના ઉત્પાદન સાથે લોકોની સારવાર થાય છે.
આયુર્વેદિક જ્ઞાન સાથે 600 દવાનું ઉત્પાદન
ખાસ વાત તો એ છે કે દેશની સૌથી મોટી પાંચ સરકારી આયુર્વેદિક ફાર્મસીઓમાંની એક રાજપીપળાની સરકારી ફાર્મસી કોલેજ છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ફાર્મસી છે કે, જેની પાસે પોતાનું ઔષધીય વન, ફાર્મસી કોલેજ અને ફાર્મસી હોસ્પિટલ છે. આ ફાર્મસીમાં વાર્ષિક 13 કરોડથી વધુ રૂપિયાની દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આયુર્વેદિક ફાર્મસી પાસે 10 એકરમાં ફેલાયેલું ઔષધી વન છે. જેમાં 1640 જેટલી ઔષધીય વનસ્પતી આવેલી છે. આ સાથે નર્મદા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારોમાં જંગલ પેદાશો મળી રહે છે. આમ આ ઔષધીઓ અને વન પેદાશોમાંથી 600થી વધુ પ્રકારની દવાઓ બને છે. જે દેશ અને રાજ્યમાં 300થી વધુ સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે.
રોજ 100 લોકોને મળે છે આયુર્વેદિક સારવાર
મહત્વની વાત તો એ છે કે, રાજપીપળા ખાતે છેલ્લા બે વર્ષથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલની તારીખે રોજ 100 જેટલા દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે. તેમાં પણ જે દર્દનું નિવારણ એલોપેથી દ્વારા નથી મળતું. તે અહીં આયુર્વેદિક દવાઓથી મળી જાય છે.
આમ તો ભારતમાં આયુર્વેદિક ઉપચારની ભૂમિ તરીકે કેરલાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપળા આયુર્વેદિક મેડિકલ કોલેજ પણ આયુર્વેદ ઉપચાર માટે સર્વશ્રેષ્ઠ છે. ત્યારે જ તો વિશ્વ પણ આયુર્વેદિક સંશોધન માટે ગુજરાત તરફ આકર્ષિત થયું છે. જે આપણા માટે ગર્વની વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime