બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, FDના નિયમો બદલવાથી મળશે આ લાભ
Last Updated: 09:42 AM, 1 January 2025
RBI FD Rules: સુધારેલી માર્ગદર્શિકા ઓગસ્ટમાં જારી કરવામાં આવી હતી. આમાં જાહેર થાપણોની મંજૂરી અને ચુકવણી, નોમિનેશન, કટોકટી ખર્ચ, થાપણો વિશે થાપણદારોને સૂચિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાકતી મુદત પહેલા પૈસા ઉપાડવાની સુવિધા પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
1 જાન્યુઆરીથી ઘણા નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંકિંગ સંબંધિત ઘણા નિયમો જે સામાન્ય લોકો સાથે સંબંધિત છે, તે બદલવા જઈ રહ્યા છે. આવો જ એક નિયમ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંબંધિત છે. આરબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટને લઈને એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે રોકાણ કરવા વિશે વિચારી રહેલા દરેક વ્યક્તિએ અથવા FDમાં રોકાણ કર્યું છે તેમણે જાણવી જોઇએ.
ADVERTISEMENT
હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) માટે અપડેટેડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક 1 જાન્યુઆરી 2025 થી ભારતીય રિઝર્વ બેંક દ્વારા લાગુ કરવામાં આવશે. આ સુધારેલી માર્ગદર્શિકા ઓગસ્ટમાં જારી કરવામાં આવી હતી. આમાં જાહેર થાપણોની મંજૂરી અને ચુકવણી, નોમિનેશન, કટોકટી ખર્ચ, થાપણો વિશે થાપણદારોને સૂચિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કયા નિયમો બદલાઈ રહ્યા છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ થાપણદારો નાની જમા થાપણ(રૂ. 10,000 સુધી) ની પૂરી રકમ કોઈપણ વ્યાજ જમા કર્યાના ત્રણ મહિનાની અંદર ઉપાડી શકે છે.
ADVERTISEMENT
મોટી થાપણો માટે મૂળ રકમના 50% અથવા રૂ. 5 લાખ (જે ઓછું હોય તે) સુધીનો આંશિક ઉપાડ ત્રણ મહિનાની અંદર વ્યાજ વગર કરી શકાય છે.
ગંભીર બિમારીના કિસ્સામાં થાપણદારોને થાપણના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, મુદ્દલની સંપૂર્ણ રકમ અકાળે ઉપાડવાની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ આના પર કોઈ વ્યાજ ચૂકવવામાં નહી આવે. વધુમાં નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) એ હવે વધુ સમયસર અપડેટ કરેલી માહિતી માટે પાકતી મુદતના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા થાપણદારોને પાકતી મુદતની વિગતો જણાવવી જરૂરી છે.
ADVERTISEMENT
બીજું શું અપડેટ થશે?
ADVERTISEMENT
નોમિનેશન અપડેટ્સ: NBFCને યોગ્ય રીતે ભરેલા નોમિનેશન ફોર્મની પ્રાપ્તી, નામાંકનને રદ કરવા કે બદલાવ કરવાની પાવતી આપવા માટે યોગ્ય સિસ્ટમ્સ સ્થાપવાની સલાહ આપવામાં આવી છે. તમામ ગ્રાહકોને આ પાવતી પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે, પછી ભલે તે વિનંતી કરવામાં આવી હોય કે ન હોય.
પાસબુકમાં નોમિનીનો ઉલ્લેખ: NBFC એ પાસબુક અથવા રસીદો પર નોમિની વિગતો આપવા પર વિચારવું જોઇએ. આમાં ગ્રાહકોની સંમતિ સાથે "નોમિનેશન રજિસ્ટર્ડ" અને નામાંકિત વ્યક્તિનું નામ લખવું શામેલ હોવું જોઈએ.

ઉપાડની જોગવાઈઓ: આરબીઆઈ અનુસાર જાહેર થાપણો ધરાવતા વ્યક્તિગત થાપણદારોને થાપણની તારીખથી ત્રણ મહિનાની અંદર સમય પહેલા ઉપાડની વિનંતી કરવાની છૂટ છે. આવા કિસ્સાઓમાં મૂળ રકમના મહત્તમ 50% અથવા રૂ. 5 લાખ (જે ઓછું હોય તે) કોઈપણ વ્યાજ વગર ઉપાડી શકાય છે. બાકીની રકમ પર સંમત દરે વ્યાજ મળતું રહેશે અને જાહેર થાપણો માટેના માનક નિયમોનું પાલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ નવા વર્ષમાં કમાણીની શાનદાર તક! આજે ખુલ્યો 2600000000 કરોડનો IPO, GMP જબરદસ્ત
ગંભીર બીમારીના કિસ્સામાં: ગંભીર બીમારીના કિસ્સામાં થાપણદારો પાસે ડિપોઝિટની તારીખથી ત્રણ મહિનાના સમય પહેલાં તેમની મૂળ થાપણની રકમ સંપૂર્ણ ઉપાડની વિનંતી કરવાનો વિકલ્પ હોય છે. આ ઉપાડ કોઈપણ વ્યાજ વગર જારી કરવામાં આવે છે. એ નોંધવું અગત્યનું છે કે આ જોગવાઈ હાલના ડિપોઝિટ કોન્ટ્રાક્ટ પણ લાગુ પડે છે જે અગાઉ પ્રારંભિક ત્રણ મહિનામાં સમય પહેલા ઉપાડના અધિકારોને મંજૂરી આપતા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.