ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જાણકારોની જો વાત માનીએ તો ભારતમાં લગ્નગાળો શરૂ થતાંની સાથે જ સોનાચાંદીની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે, માટે ટેનની કિંમતોમાં વધુ ભાવવધારો થઈ શકે છે, તે જ સમયે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર ન થવાના કારણે પણ સોનાચાંદીની કિંમતોમાં ઉછાળો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ADVERTISEMENT
હાલ તેની ઓલટાઈમ હાઇ સપાટીથી સસ્તા છે સોના ચાંદી
ADVERTISEMENT
હાલના સમયમાં સોનુ તેના ઓલટાઈમ હાઈથી 11500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું દેખાઈ રહ્યું છે, ત્યારે જ ચાંદી પણ તેની ઓલટાઈમ હાઈ સપાટી કરતા 13000 રૂપિયા સસ્તી લાગી રહી છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 42,370 રૂપિયા (22 કેરેટ) અને 46,220 (24 કેરેટ) રૂપિયા થયો હતો જ્યારે કે ચાંદીની કિંમતોએ આજે 67000 રૂપિયા પ્રતિ કિલોની સપાટીને સ્પર્શી હતી, પણ જો આ લગ્નગાળાના લીધે માંગ વધતા કિંમતો વધે તો સોનુંચાંદી મોંઘા થઇ શકે છે.
ADVERTISEMENT

શું કહે છે જાણકાર?
ADVERTISEMENT
આઈઆઈએફએલ સિક્યોરિટીના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરોને સ્થિર રાખવાના સંકેતો મળી રહયા છે, તે જ સમયે ઓછી કિંમતો અને લગ્નસરાની મોસમના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં એપ્રિલના મહિના સુધી 2500 જેટલો વધારો જોઈ શકાય છે.
જો કે આની સાથે જ કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું માનવું છે કે કોરોનાનો ફેલાવો દેશમાં વધી રહ્યો છે, દેશના અમુક શહેરો અને ભાગોમાં તો લોકડાઉનની શરૂઆત થઇ ચૂકી છે, જેના લીધે ઇન્વેસ્ટર્સ સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટની તરફ જોઈ રહયા છે, જેની અસર સોનાચાંદીની કિંમતો પર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો