બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 06:35 PM, 13 June 2023
હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓની પૂજા તથા વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જીવનમાં જે પણ કષ્ટ આવે છે, તે દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. અનેક વાર લાખ કોશિશ કરવા છતાં ઘરમાં ખુશીઓ આવતી નથી. બનતું કામ પણ બગડવા લાગે છે. ગમે તેટલી મહેનત કરો તે છતાં સફળતા પ્રાપ્ત થતી નથી. માઁ લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. લોકો દરરોજ જીવનમાં અનેક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે ઘરમાં ધનનો અભાવ વર્તાય છે. માઁ લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
અપશબ્દ બોલવા: અનેક લોકો નાની નાની બાબતોએ ગુસ્સે થવા લાગે છે. અનેક લોકો ગુસ્સામાં ઘણી વાર અપશબ્દ બોલવા લાગે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દો બોલવાથી માઁ લક્ષ્મી નારાજ થાય છે, જેના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
મેલા કપડા પહેરવા: માઁ લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે. ગંદી જગ્યાઓ પર માઁ લક્ષ્મીનો વાસ રહેતો નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ મેલા કપડા પહેરે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્મીની કૃપા થતી નથી. માઁ લક્ષ્મી આ પ્રકારના લોકોથી નારાજ થઈને જતા રહે છે. આ કારણોસર હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.
દીવો કરવો: હિંદુ ધર્મમાં દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ ઘરમાં સવાર સાંજ દીવા કરવા જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘરમાં દીવા કરે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્મી મહેરબાન રહે છે.
વધુ સમય સુધી સૂઈ રહેવું: વધુ પડતી ઊંઘ લેવી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે, જેના કારણે આરોગ્ય જોખમાઈ શકે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સવારે મોડા ઊઠે છે અને રાત્રે મોડા સૂવે છે, માઁ લક્ષ્મી તેમના પર પ્રસન્ન થતી નથી. આ કારણોસર સવારે વહેલા ઊઠવું જોઈએ. શક્ય હોય તો સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ.
ગંદકીમાં રહેવું: અનેક લોકો ઘરમાં સાફ સફાઈનું ધ્યાન રાખતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર સાફ હોય તો માઁ લક્ષ્મી વધુ ખુશ થાય છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જે ઘર સ્વચ્છ હોય છે, તે ઘરમાં માઁ લક્ષ્મીનો વાસ રહે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime