બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:56 PM, 4 March 2025
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફક્ત ત્રણ દિવસ માટે સ્માર્ટફોન છોડી દેવાથી તમારા મગજની પ્રવૃત્તિ પર નોંધપાત્ર અસર પડી શકે છે. જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટી અને કોલોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં 18 થી 30 વર્ષની વયના 25 યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહભાગીઓને તેમના ફોનનો ઉપયોગ 72 કલાક સુધી મર્યાદિત રાખવા કહેવામાં આવ્યું હતું, જોકે જરુરી કામો માટે મોબાઈલ વાપરવા દેવાની મંજૂરી આપવામાં આવી. આ પછી ભાગ લેનાર લોકોના MRI સ્કેન અને મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાયાં હતા અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે ફોનનો ઉપયોગ ઘટાડી દેવાની બ્રેઈન પર શું અસર પડે છે.
ADVERTISEMENT
વ્યસન-સંબંધિત ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ વચ્ચેના સંબંધો
સ્ટડીમાં એવું સામે આવ્યું કે મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરવાથી વ્યસન-સંબંધિત ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ પર અસર પડે છે એટલે વ્યસનની ઓછી ઈચ્છા થાય છે.
ADVERTISEMENT
સ્માર્ટફોનના ઓછા ઉપયોગથી મગજની પ્રવૃતિઓમાં ફેરફાર
સ્ટડીના તારણ અનુસાર, ટૂંકા ગાળાના સ્માર્ટફોન પ્રતિબંધ પણ મગજની પ્રવૃત્તિમાં ફેરફાર કરી શકે છે, જે ડિજિટલ ઉપકરણો આપણા ન્યુરલ પેટર્નને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર પ્રકાશ પાડે છે.
ADVERTISEMENT
મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાથી શું ફાયદા
સ્ટડીના તારણોમાં એવું જણાવાયું છે કે મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે સાથે વ્યસન માટે જવાબદાર ન્યુરોટ્રાન્સમીટરની ગતિશિલતા પણ વધે છે આને કારણે વ્યસન છોડવામાં અનુકૂળતા રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.