બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghogha-Hajira ro-ro ferry and Ambaji rope-way service now closed till date, decision taken due to cyclone
Malay
Last Updated: 12:38 PM, 13 June 2023
મહાવિનાશક બિપોરજયો વાવાઝોડાનો ગુજરાતની માથે ખતરો મંડરાઈ રહ્યો છે. અરબ સાગરમાં સર્જાયેલું શક્તિળશાળી વાવાઝોડું 'બિપોરજોય' દ્વારકાથી 290 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વર્તાવા લાગી છે. દ્વારકા, ગીર સોમનાથ, માંડવી, પોરબંદર સહિતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયામાં ઉચા મોજા ઉછળી રહ્યા છે. ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સાવચેતીના ભાગરૂપે ઘોઘા-હજીરા રો-રો ફેરી બંધ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આદેશ બાદ રો-રો ફેરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
15 જૂન સુધી રો-રો ફેરી સેવા બંધ
રાજ્ય સરકારની મંજૂરી બાદ 16 જૂનથી ફરી રો-રો ફેરી શરૂ કરાશે. હાલ 15 જૂન સુધી રો-રો ફેરી સેવા બંધ રહેશે. અગાઉ 13 તારીખ સુધી જ રો-રો ફેરી બંધ કરવાની જાહેરાતા કરાઈ હતી. હાલ ઘોઘા સહિતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે રો-રો ફેરીને બંધ કરવામાં આવી છે.
અંબાજીમાં રોપ-વે સેવા બંધ
યાત્રાધામ અંબાજીમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. આજથી 4 દિવસ સુધી ગબ્બર પર રોપ-વેની સુવિધા બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાને લઈને ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો. 16 જૂન સુધી રોપ-વે સેવા બંધ રહેશે.
જામનગર જિલ્લામાં લોકોનું કરાયું સ્થળાંતર
વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં કાંઠા વિસ્તારના 500 લોકોનું સ્થળાંતર કરાયું છું. જોડિયા 124, લાલપુર 100, જોડિયાના 355 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ જામનગરના માધાપર ભુગા ખાતે વસવાટ 120 પરિવારનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. મામલતદારને સાથે રાખી NDRFની ટીમે દરિયા કાંઠાનું નિરીક્ષણ કર્યું છે.
NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે. અત્યાર સુધીમાં દરિયાકાંઠા વિસ્તારના 3 હજાર 243 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ