બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghodapur of devotees on Mahashivratri at Somnath Mahadev Temple

Mahashivratri 2024 / 'હર હર મહાદેવ'ના નાદથી શિવમય બન્યું સોમનાથ મંદિરનું વાતાવરણ, વહેલી સવારથી ભક્તો કતારમાં જોડાઇ ગયા

Published By: Vishal Khamar

Last Updated: 10:18 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મહાશિવરાત્રી પર્વની સોમનાથમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે વહેલી સવારથી ઉમટ્યું છે. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે વાતાવરણ શિવમય બન્યું હતું. ત્યારે મહાશિવરાત્રીને લઈ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 42 કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે. મહાશિવરાત્રીને લઇ ચાર પ્રહરની મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નિકળશે. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વપૂજાનું આયોજન કરાયું છે.

મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો
મહાશિવરાત્રીનાં દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.  આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવશે.

વહેલી સવારથી મહાદેવનાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
 મહાશિવરાત્રિને લઈ વહેલી સવારથી 4 વાગ્યાથી મહાદેવનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. ત્યારે સવારે 6 વાગ્યે મહાપૂજાનો પ્રારંભ થયોહતો. તેમજ સાત વાગ્યે પ્રાતઃ આરતી થઈ હતી. જે બાદ સવારે 8 વાગ્યાથી સતત સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ થયો હતો. તેમજ સવારે 7.30 થી બપોરે 1.30 વાગ્યા સુધી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ થશે. તેમજ સવરે 8.30 વાગ્યે નૂતન ધ્વજારોહણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તેમજ સવારે 9 વાગ્યે શિવજીની પાલખી યાત્રા યોજાશે. 

વધુ વાંચોઃ 'મારા કેટલાંક રાજકીય શત્રુઓ કે જેને....', લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

પોલીસ દ્વારા મંદિર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ મંદિર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બાબતે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને નેજા હેટળ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ 1 પીઆઈ, 3 પીએસઆઈ, 1 એસઆરપી પ્લાટુન, 150 પોલીસ જવાન, 5 બોર્ડીવોર્ન કેમારે સાથે જવાનો અલગ અલગ શિફ્ટ મુજબ ફરજ બજાવશે. તેમજ 2 ઘોડે સવાર પોલીસ જવાનો તેમજ એક ડોગ સ્કોર્ડ બાજ નજર રાખશે. તેમજ 42 સીસીટીવી કેમેરાઓ દ્વારા તમામ ગતિવિધિ પર બાજ નજર રાખશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Future Devotees Mahashivratri festival Somnath Mahadev Temple ભાવીક ભક્તો મહાશિવરાત્રી પર્વ સોમનાથ મહાદેવ Mahashivratri 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ