બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Malay
Last Updated: 03:09 PM, 2 May 2023
હત્યાની કોશિશ સહિતના 14થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડેલ અને ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાતા નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલવા આદેશ કરાયો છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
પોલીસે કરી હતી ફરિયાદ
કુખ્યાત નિખિલ દોંગાએ સાબરમતી જેલમાં જવાના આદેશ પર સ્ટે માટે અરજી કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાની અરજીને ફગાવી દીધી છે અને તેને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. અત્યારે નિખિલ દોંગા ભુજની પાલારા જેલમાં બંધ છે. મહત્વનું છે કે, ભુજની જેલમાં નિખિલ દોંગાને સગવડો મળતી હોવાની પોલીસે ફરિયાદ કરી હતી.
કોર્ટે સાબરમતી જેલમાં મોકલવાનો કર્યો આદેશ
પોલીસ તરફી સ્પે.પી.પી. એસ.કે.વોરાએ ધારદાર દલીલો કરી હતી. જેમની દલીલને ગ્રાહ્મ રાખી રાજકોટની સ્પેશિયલ કોર્ટે નિખિલ દોંગાને સાબરમતી જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.
ગેંગ સામે નોંધાયા છે 117 જેટલા ગુના
રાજકોટ સહિત અન્ય જિલ્લામાં નિખિલ દોંગા ગેંગ સામે હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુના નોંધાયા છે. ત્યારબાદ પોલીસ દ્વારા કુખ્યાત નિખિલ દોગા સામે ગુજસીટોક કાયદાનું હથિયાર ઉગામી ગોંડલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં નિખિલ દોંગાએ આખા જેલ પ્રશાસનને રૂપિયાના પાવરથી કાબૂમાં કરી લીધું હતું અને જેલમાં પણ તે જલસાની જિંદગી જીવતો હતો. જે અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં નિખિલને ભુજની પલારા જેલમાં મોકલ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાંથી થયો હતો ફરાર
થોડા દિવસબાદ નિખિલે બીમારીનું કારણ ધરીને ભાગી જવા માટે નાટક રચ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને ભુજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલસને હાથતાળી આપીને નિખિલ દોંગા રાત્રે ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ત્રણ દિવસમાં જ તેને ઝડપી પાડ્યો હતો. તેની ઉતરાખંડના નૈનીતાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસને એવી માહિતી મળી હતી કે તેને ભુજની જેલમાં પણ દરેક સગવડો મળી રહી છે. જેથી પોલીસે તેને સાબરમતી જેલમાં ખસેડવા કોર્ટમાં અપીલ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh