બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / Ganesh festival is being celebrated with great fanfare in Ahmedabad, have a unique darshan
Megha
Last Updated: 04:45 PM, 21 September 2023
11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને અમદાવાદમાં ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે.
એવામાં આજે અમે તમને અમદાવાદના 5 ગણપતિ પંડાલ વિશે જણાવશું જ્યાં તમે બાપ્પાના અનોખા દર્શન કરી શકો છો.
શહેરના ઓઢવ વિસ્તારની રત્નમાલ સોસાયટીમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ચંદ્રયાન-3ની થીમ પર ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આશરે 13 ફૂટની ઊંચી ગણેશ ભગવાનની મૂર્તિ છે. આ મંડળ છેલ્લા 29 વર્ષથી ગણપતિ પંડાલનું આયોજન કરે છે. ગણપતિ પર્વ પર ચંદ્રયાન 3ના સફળતાની ઉજવણીનો અલગ નજારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સૌથી મોટા અને વધારે ગણેશ ઉત્સવની ઉજવણી શહેરના મણીનગરમાં દક્ષિણી વિસ્તારમાં થાય છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં જતાં વચ્ચે રસ્તામાં હટકેશ્વર ભાઈપૂરાના ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગણપતિ બાપ્પાની ખૂબ સુંદર પ્રતિકૃતિના દર્શન થશે.
ત્યાંથી થોડે જ આગળ મણિનગરની દક્ષિણી સોસાયટીમાં શિવશક્તિ યુવક મંડળ સ્થાપિત ગણેશ પંડાલની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં 'ભારત હી ભાગ્ય વિધાતા' આધારિત થીમ રાખવામાં આવી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારના રમણનગરમાં 'રમણનગર ના રાજા' ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગણેશજીની અભિભૂત કરી દે એવી મૂર્તિના દર્શન કરવા મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો