બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Megha
Last Updated: 04:09 PM, 5 August 2023
Gajkesari Yog 2023: આ વર્ષનો ઓગસ્ટ મહિનો હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં બીજી વખત 7 ઓગસ્ટના રોજ ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે. 7 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગજકેસરી યોગ રહેશે. જ્યારે કોઈ એક રાશિમાં ચંદ્ર અને ગુરુનો સંયોગ હોય ત્યારે ગજકેસરી યોગ બને છે.
ગુરુ આ સમયે મેષ રાશિમાં છે અને 7 ઓગસ્ટે ચંદ્ર પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બંનેના સંયોગથી ગજકેસરી યોગ બનશે. આ શુભ યોગ 9 ઓગસ્ટની સવારે 07:43 સુધી રહેશે. ત્યાર બાદ જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે ત્યારે ગજકેસરી યોગ ઓગળી જશે. ગજકેસરી યોગ બનવાથી ધન, બળ, હિંમત, પરાક્રમ, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વખતે 3 રાશિ મેષ, કર્ક અને મકર રાશિના જાતકોને ગજકેસરી યોગ બનવાથી લાભ થશે.
જાણો ગજકેસરી યોગ કેટલા દિવસ ચાલશે?
જ્યોતિષાચાર્યના મતે ગુરુ અને ચંદ્રના સંયોગથી આ મહિનામાં બનેલો ગજકેસરી યોગ શુભ રાજયોગ માનવામાં આવે છે. આ યોગ બનવાથી વ્યક્તિને મજબૂત આર્થિક લાભ થાય છે. તેની સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય નોકરીમાં બઢતી, સમાજમાં માન-સન્માનની સાથે બિઝનેસમાં અપાર સફળતા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશેષ યોગ ગુરુ અને ચંદ્રના સંયોગથી બને છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગ અઢી દિવસ સુધી રહેશે.
મેષ
7 ઓગસ્ટે મેષ રાશિમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ દરમિયાન મિથુન રાશિના જાતકોને ઓફિસમાં અપાર સફળતા પ્રાપ્ત થશે, જેનાથી મિથુન રાશિના જાતકોને ખૂબ જ લાભ થવાની સંભાવના છે. નોકરિયાત વ્યક્તિઓને ઓફિસમાં માન અને સમ્માન પ્રાપ્ત થશે તથા તરક્કી પણ થશે. જો કોઈ વ્યક્તિ નોકરી મેળવવા માટે કોશિશ કરી રહી છે, હાલનો સમય ખૂબ જ ઉત્તમ છે. વેપારી વર્ગને નફો થવાનો યોગ બની રહ્યો છે.
કર્ક
ગજકેસરી યોગ કર્ક રાશિના લોકો માટે પણ ભાગ્ય ખોલી શકે છે. કન્યા રાશિના જાતકોના વિવાહની ચર્ચા ચાલી રહી છે, આ દરમિયાન તેમના વિવાહ થવાનો યોગ બની રહ્યો છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કન્યા રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે, પત્ની સાથે સારો વ્યવહાર રહેશે અને ભાગીદારીના બિઝનેસમાં તરક્કી તથા નફો થશે.
મકર
ગજકેસરી રાજયોગ પણ મકર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવી રહ્યો છે. ધન રાશિના જાતકોને જમીન, ઘર અને વાહન ખરીદવાના કાર્યોમાં નિશ્ચિત સફળતા મળશે. ધન રાશિના જાતકોના તેમની માતા સાથે સૌથી સારા સંબંધ રહેશે અને સુખ તથા સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. વાહન ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ સમય છે, આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકોએ પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime