બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / From immunity to blood sugar level many benefits of chewing Curry leaves on an empty stomach
Megha
Last Updated: 12:36 PM, 4 September 2023
Curry Leaves Benefits: લીમડાના પાન આજે દરેક ઘર-ઘરમાં જાણીતી છે. તે ભારતીય રસોડાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. તે ફૂડને એક અલગ જ સ્વાદ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાદની સાથે તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો મળી આવે છે. આયુર્વેદ અનુસાર જો લીમડાનું સવારે ખાલી પેટે સેવન કરવામાં આવે તો શરીરના અડધા રોગો દૂર થઈ જાય છે.
ચાલો જાણીએ કે ખાલી પેટ લીમડો ખાવાથી શું ફાયદા થાય છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
શરીરનું વજન ઓછું કરવા માટે તમે લીમડાના પાનનું જ્યૂસ પણ પી શકો છો.જો તમે ખાલી લીમડાના પાનનુ જ્યુસ પીવો છો તો તેમાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે ઓવર ઇટિંગથી બચો છોય તેના ગુણધર્મો વધારાની ચરબી અને વિષેલ પદાર્થને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે જેથી કેલરી બર્ન થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાન લાભકારી
નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. લીમડાના પાનમાં રહેલ ફ્લેવેનોઈડ્સ તથા અન્ય પોષકતત્ત્વોને કારણે શુગર ઓછું થાય છે. લીમડાના પાન કડવા હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. લીમડાના પાનમાં ઔષધીય ગુણ રહેલા છે, જેથી બિમારીઓ સામે રક્ષણ મળે છે. આયુર્વેદમાં લીમડાના પાનનો અનેક બિમારીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ તથા ત્વચા સંબંધિત સમસ્યાતી રાહત મળે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, લીમડાના પાનમાં તિક્ત અને કષાય રસ રહેલો હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલ ઓછું કરે છે.
ત્વચાની સમસ્યાઓમાં પણ મળશે રાહત
આ સિવાય જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યા હોય તેઓ પણ લીમડાના પાનનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમે પાણીમાં લીમડાના પાન નાખીને સ્નાન કરી શકો છો. તેનાથી ત્વચા પરની કોઈપણ પ્રકારની એલર્જી દૂર થઈ શકે છે.
મગજને કરે છે ફાયદો
એક રિપોર્ટ અનુસાર લીમડાના પાનમાં અનેક એવા તત્વો હોય છે જે મગજની રક્ષા કરવામાં મદદ કરે છે. લીમડાના પાન સિવાય તેનું તેલ પણ ફાયદો કરે છે. તેમાં એન્ટી બાયોટિક અને એન્ટી ફંગલ હુણ હોય છે એવામાં તે ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે.
શરીરને ડિટોક્સ કરે છે લીમડાના પાન
અનેક ફાયદાની સાથે શરીરને ડિટોક્સ કરવામાં પણ લાભદાયી છે. શરીર અંદરથી સાફ નહીં હોય તો વજન ઘટાડવાનું મુશ્કેલ બને છે. એવામાં લીમડાના પાનની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક
લીમડાના પાનમાં ઘણા પ્રકારના વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણી ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
કેવી રીતે સેવન કરવું?
નિયમિતરૂપે સવારે 4-5 લીમડાના પાનનું ચાવીને સેવન કરવાથી લાભ થાય છે. તમે લીમડાના પાન ખાઈને પાણીનું સેવન કરી શકો છો. જે લોકો નિયમિતરૂપે લીમડાના પાનનું સેવન કરી શકતા નથી તેઓ લીમડાના તેલનો ઉપયોગ કરી શકે છે. લીમડાનું તેલ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે.
લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યા સામે રાહત મળે છે. આ લીમડાના પાનનું સેવન કરવાથી ત્વચાના રોગ સામે રક્ષણ મળે છે. ઉપરાંત વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહે છે અને બિમારીઓ થવાનું જોખમ રહેતુ નથી. આ પાન પીસીને પણ તેનું ચૂર્ણ બનાવી શકાય છે.
લીમડાના પાન કોણે ના ખાવા જોઈએ?
જે લોકો શારીરિક રીતે નબળા હોય, ગર્ભવતી મહિલાઓ, વડીલ અને નાના બાળકોએ લીમડાના પાન ના ખાવા જોઈએ. બ્લડ પ્રેશરના દર્દીઓ, શરીરના દુખાવાથી પરેશાન, જે લોકોની સર્જરી થઈ હોય તેમણે લીમડાના પાન ના ખાવા જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime