બ્રેકિંગ ન્યુઝ
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
Dhruv
Last Updated: 12:19 PM, 17 March 2022
ચીનમાં કોરોનાના કેસો વધતા તજજ્ઞોનું કહેવું છે કે, આવનારા સપ્તાહમાં ચીનની સ્વાસ્થ્ય સેવાઓ પર દબાવ વધારે વધી શકે છે. ચીનમાં છેલ્લાં 10 અઠવાડિયામાં 14,000 થી વધુ કેસ નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે, ઓમિક્રોનના કારણે કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચીને અનેક શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. એવી આશંકા સેવાઇ રહી છે કે, ચીનની અર્થવ્યવસ્થા પર પણ તેની માઠી અસર પડી શકે છે.
ટેસ્ટિંગ માટે અછત જેવી સ્થિતિ
ચીનના કેટલાંક વિસ્તારો તો પહેલેથી જ આ સંકટનો સામનો કરી રહ્યાં છે. વાસ્તવમાં અહીંના લોકોને ટેસ્ટ માટે ઘણું કષ્ટ ઉઠાવવું પડી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, ચીનની સખ્ત 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલિનમાં હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અહીં કોરોનાને રોકવા માટે માત્ર 2-3 દિવસનો જ મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના એપિડેમિયોલોજીના પ્રોફેસર ચેન ઝેંગમિને જણાવ્યું કે, સંક્રમણને રોકવા માટે પ્રતિબંધો સહિતના વર્તમાન પગલાં પૂરતા છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે આગામી બે અઠવાડિયા પૂરતા છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ આ પગલાં બાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે.
ચીનમાં તમામ વૃદ્ધોને નથી મળી રહ્યો બૂસ્ટર ડોઝ
ચીને કોરોના વિરૂદ્ધ 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવી છે. જેમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે, પછી તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. ચીનમાં અંદાજે 90% વસ્તીએ કોરોનાની રસી મેળવી લીધી છે. જો કે, ચાઇનીઝ નિષ્ણાંતો એવો દાવો કરી રહ્યાં છે કે, પર્યાપ્ત વૃદ્ધ લોકોને બૂસ્ટર ડોઝ નથી લાગ્યાં કે જે સંક્રમણ અને મૃત્યુનું જોખમ ઊભું કરે છે. એ પણ સ્પષ્ટ નથી કે ચીનની રસી ઓમિક્રોનને રોકવામાં કેટલી અસરકારક છે.
લાખો લોકો કેદમાં જીવવા મજબૂર
ચીનના અનેક શહેરોમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. 17 મિલિયનની વસ્તી ધરાવતા શેનજેનમાં લોકોને કહેવામાં આવ્યું કે, ઘરનો એક જ સભ્ય બે કે ત્રણ દિવસમાં એક વખત જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર જઈ શકે છે. શેનજેનના લોકોએ આ પ્રતિબંધો પર સવાલ ઉઠાવ્યાં છે. શેનજેનના રહેવાસી પીટર કહે છે કે, ઓમિક્રોન સામે લડવાનો આ યોગ્ય રસ્તો નથી. તેમણે કહ્યું કે, અમે વિદેશમાં જોયું છે કે ઓમિક્રોન શરદીની જેમ હોય છે. તેનાથી અનેક લોકો સાજા પણ થઇ ગયા છે. તો પછી આપણને શા માટે કેદ કરવામાં આવી રહ્યાં છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ