સંભવિત વાવાઝોડાને પગલે વડોદરા વહીવટી તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. 2 જૂનથી 5 જૂન સુધી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. ત્યારે વાવાઝોડાની અસર વડોદરામાં પણ આવવાની શક્યતા છે. જેને લઇને કલેકટરે વહીવટી તંત્ર, પોલીસ, પંચાયત અને મનપાને સજાગ રહેવા સૂચના આપી છે. તકેદારીના તમામ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે...