બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / five youth injured and two killed by car while running on flyover in palwal haryana
Mayur
Last Updated: 12:55 PM, 3 July 2022
હરિયાણાનાં પલવલમાં એક ભયાનક રોડ અકસ્માત થયો છે. અહીં સવારે કેજીપી ફ્લાઇઓવર પર રોડની સાઇડમાં દોડી રહેલા પાંચ યુવકોને એક ગાડીએ જોરદાર ટક્કર મારી દીધી હતી. જેમાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
કાર ચાલક વિશે તપાસ ચાલી રહી છે પણ હજુ સુધી ભાળ મળી શકી નથી. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડેડ બોડીઝને કબજે કર્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમામ યુવાનો એક જ ગામનાં રહેવાસી
આ દુર્ઘટનામાં સામેલ ચારેય યુવાનો એક જ ગામમાં રહેતા હતા. પોલીસે કહ્યું હતું કે અજ્ઞાત ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની શોધખોળ થઈ રહી છે. મૃતકોમાં સામેલ યુવાન પેલક ગામના રહેવાસી છે. આ ગામના જ દોસ્તો સાથે તેઓ રોજ દોડવા માટે જતાં હતા. ઘટના પછી સમગ્ર પેલક ગામમાં શોકનો માહોલ છે.
ગાઝિયાબાદમાં ફ્લાયઓવર પર દુર્ઘટનામાં ત્રણનાં મોત
અગાઉ થોડા દિવસ પહેલા દિલ્હી નજીક ગાઝિયાબાદના શહેર કોતવાલી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક બસ ફ્લાઈઓવર પરથી પડી ગઈ હતી જે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT