બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Explain about the blood sample found from Aftab's flat
Priyakant
Last Updated: 08:45 AM, 23 December 2022
દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ છે. સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, ઓક્ટોબરમાં આફતાબ પૂનાવાલાના દક્ષિણ દિલ્હીના ફ્લેટમાંથી મળેલા લોહીના નિશાન તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના હતા. આફતાબ પર તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહના 35 ટુકડા કરવાનો આરોપ છે. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ શ્રદ્ધા વોકરના પિતા પાસેથી લીધેલા લોહીના સેમ્પલ અને ફ્લેટમાંથી લીધેલા સેમ્પલ મેચ થયા છે.
મહત્વનું છે કે, શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલ સાથે બ્લડ સેમ્પલનું મેચિંગ પોલીસના દાવાને પ્રસ્થાપિત કરે છે કે, કથિત ગુનો છતરપુરમાં ભાડાના ફ્લેટમાં કરવામાં આવ્યો હતો, જ્યાં શ્રદ્ધા અને આફતાબ બંને સાથે રહેતા હતા. 15 ડિસેમ્બરના રોજ પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીના જંગલમાંથી મળેલા હાડકાંના ડીએનએ વોકરના પિતાના હાડકા સાથે મેળ ખાય છે, જે 27 વર્ષીય શ્રદ્ધાના મૃત્યુની પુષ્ટિ કરે છે.
નોંધનીય છે કે, આરોપીઓએ પુરાવા દૂર કરવા માટે ઘરની ઘણી સફાઈ કરી હતી, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતોએ લોહીના ડાઘા શોધી કાઢ્યા હતા. લેટેસ્ટ CFSL રિપોર્ટ પુષ્ટિ કરે છે કે, બાથરૂમ, રસોડામાં અને પલંગની નીચે ટાઇલ્સ પર જોવા મળેલા લોહીના ડાઘએ શ્રદ્ધાનું લોહી હતું. પોલીસનો દાવો છે કે, આરોપી પૂનાવાલાએ 18 મેના રોજ ગુસ્સામાં શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી અને પછી શરીરના ટુકડા કરી નાખ્યા હતા. આરોપીઓએ મૃતદેહના ટુકડા દક્ષિણ દિલ્હીના જુદા જુદા ભાગોમાં ફેંકી દીધા હતા.
આરોપીએ જામીન અરજી પાછી ખેંચી
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ સાકેત કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આફતાબના વકીલે આ માહિતી આપી છે. આ તરફ દિલ્હી પોલીસે આરોપી આફતાબની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેલ્સ એક્સટ્રેક્ટ કરી છે. પોલીસ હવે આફતાબના અવાજના નમૂના લઈને કેસની તપાસમાં તેનો ઉપયોગ કરવા માંગે છે, જેના માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ