બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Education Minister Kuber Didor reaction to IAS Dhaval Patel's letter

પ્રતિક્રિયા / 'જે પણ ક્ષતિઓ સામે આવી છે તેને...', IAS અધિકારીના પત્ર મુદ્દે કુબેર ડિંડોરનો જવાબ, જુઓ શું બોલ્યા શિક્ષણમંત્રી

Dinesh

Last Updated: 03:55 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAS ધવલ પટેલના પત્ર પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની વિગતલક્ષી તપાસ કરાવીને રિપોર્ટ મેળવાશે તેમજ જે ક્ષતિઓ સામે આવી છે તે શિક્ષકો-વાલીઓ સાથે મળીને દૂર કરાશે.

  • IAS ધવલ પટેલના પત્ર પર શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા
  • 'મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો મને ખ્યાલ આવ્યો છે'
  • 'બોર્ડર વિસ્તારોમાં જે ખામીઓ છે તે દૂર કરવામાં આવશે'


રાજ્યમાં કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી પોતાને થયેલા અનુભવની રજૂઆત કરી હતી. તેમણે પ્રવેશોત્સવ દરમિયાન જે  શાળાની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી. IAS ધવલ પટેલે છોટાઉદેપુરના 6 ગામની શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. IAS ધવલ પટેલના પત્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રતિક્રિયા સામે આવી છે. 

'સમગ્ર મામલાની વિગતલક્ષી તપાસ કરાવીને રિપોર્ટ મેળવાશે'
જે સમગ્ર મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી સમગ્ર મામલો મને ખ્યાલ આવ્યો છે તેમજ સમગ્ર મામલાની વિગતલક્ષી તપાસ કરાવીને રિપોર્ટ મેળવાશે. તેમણે ઉમેર્યું હતું કે, બોર્ડર વિસ્તારમાં ક્ષતિઓ જાણવા સચિવો-પદાધિકારીઓને મોકલ્યા હતા અને બોર્ડર વિસ્તારોમાં જે ખામીઓ છે તે દૂર કરવામાં આવશે તેમજ જે ક્ષતિઓ સામે આવી છે તે શિક્ષકો-વાલીઓ સાથે મળીને દૂર કરાશે. 

'બાળકોને સારું શિક્ષણ મળે તે દિશામાં કામ કરીશું'
IAS ધવલ પટેલના સચિવને લખેલા પત્ર મુદ્દે કુબેર ડિંડોરે કહ્યું હતું કે, જ બાળકોને સારું શિક્ષણ મળે તે દિશામાં કામ કરીશું તેમજ તપાસ કરી અને રિપોર્ટ મેળવાશે. અત્રે તમને જણાવી દઈએ કે, છોટાઉદેપુરની શાળાઓમાં શિક્ષણની સ્થિતિ અંગે IAS ધવલ પટેલે સચિવને પત્ર લખ્યો હતો. 

IAS ધવલ પટેલે લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ તાજેતરમાં છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. તેવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ગઈકાલે IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી. મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનીય હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો 

ધવલ પટેલે પત્રમાં શું લખ્યું?
- છોટાઉદેપુરના 6 ગામની શાળામાં નિમ્ન કોટિનું શિક્ષણનું સ્તર
- ટીમલા પ્રાથમિક શાળામાં નિમ્ન કોટિનું શિક્ષણનું સ્તર
- ધોરણ 8ના વિદ્યાર્થીઓ છૂટક-છૂટક અક્ષરો વાંચે છે
- એક આંકડાના સરવાળામાં પણ વિદ્યાર્થીઓ કરે છે ટેરવાનો ઉપયોગ
- ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા નથી આવડતું
- આદિવાસી બાળકોને ખરાબ શિક્ષણ આપીને આપણે અન્યાય કરીએ છીએ
- આદીવાસી બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી
- બાળકો અને વાલીઓ આપણી પર આંધળો વિશ્વાસ મુકે છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ