બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Priyakant
Last Updated: 02:10 PM, 30 March 2024
Delhi Jal Board Money Laundering Case : દિલ્હીથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. EDએ તેની ચાર્જશીટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તજેન્દ્ર સિંહ, જગદીશ અરોરા અને અનિલ અગ્રવાલના નજીકના NBCC અધિકારી દેવેન્દ્ર કુમાર મિત્તલ અને એક કંપની NKGને આરોપી બનાવ્યા છે.
EDએ દિલ્હી જલ બોર્ડ કેસમાં કુલ 8000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાંથી 140 પાના ઓપરેટિવ ભાગ છે. EDએ પોતાના દસ્તાવેજમાં NKG કંપનીને પણ આરોપી બનાવી છે. જાણકારી અનુસાર NKG કંપનીને NBCC ઓફિસર દેવેન્દ્ર કુમાર મિત્તલ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રના આધારે ટેન્ડર મળ્યું હતું. એનકેજીએ મિત્તલ માટે ટ્રાવેલ ટિકિટ બુક કરાવી હતી.
Enforcement Directorate (ED) has filed a charge sheet in Delhi Jal Board money laundering case. It is a case of alleged corruption in tendering of flow meter procurement.
— ANI (@ANI) March 30, 2024
ED અનુસાર NBCCના રેકોર્ડમાં NKG વિશે કોઈ માહિતી નથી. EDએ કહ્યું છે કે, જગદીશ અરોરા, અનિલ અગ્રવાલ, તજેન્દ્ર સિંહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જેઓ જગદીશ અરોરાની નજીક છે. મિત્તલ NBCCના અધિકારી છે. મિત્તલે NKG કંપનીને બનાવટી દસ્તાવેજો આપ્યા હતા. ED અનુસાર દિલ્હી જલ બોર્ડે NKGને રૂ. 38 કરોડનું ટેન્ડર આપ્યું હતું જેમાંથી રૂ. 24 કરોડ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યા હતા.
વધુ વાંચો : દિલ્હી દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રીની મુશ્કેલી વધી, EDએ મોકલાવ્યું ફરફરિયું
ટેન્ડરના બદલામાં લાંચ આપવાનો આરોપ
EDનો આરોપ છે કે, 38 કરોડ રૂપિયામાંથી બાકીના 6 કરોડ 36 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. આ ગુનાની કાર્યવાહી છે. તેમાંથી 56 લાખ રૂપિયા જગદીશ અરોરાને તજેન્દ્ર સિંહ મારફત મળ્યા હતા, 36 કરોડ રૂપિયામાંથી માત્ર 14 કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો. EDએ એમ પણ કહ્યું છે કે, NKG અને Integral Groupના પૈસા જગદીશ અરોરા પાસે ગયા કારણ કે તેમની પાસેથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને ટેન્ડરના બદલામાં લાંચ લેવામાં આવી હતી. EDએ જણાવ્યું હતું કે, જગદીશ અરોરાને કુલ 3.19 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી 56 લાખ રૂપિયા NKG અને બાકીના ઈન્ટિગ્રલ ગ્રૂપમાંથી હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો