બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / E Shram Card 3000 Rs Pension Yojana

આર્થિક મદદ / પેટીયું રળી ખાતા મજૂરોને દર મહિને મળી જશે 3000 રુપિયા, ઉઠાવો સરકારની આ યોજનાનો લાભ

Hiralal

Last Updated: 05:24 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મજૂરો માટે ચાલી રહેલી એક સરકારી યોજનામાં 60 વર્ષ બાદ મજૂરોને દર મહિને 3000 રુપિયા મળશે. જોકે તેને માટે પહેલા તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

  • મજૂરો માટે સરકારની એક યોજના ચાલી રહી છે
  • મજૂરોએ કરાવવું પડે છે ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન
  • 60 વર્ષ પૂર્ણ કર્યા બાદ સરકારે મજૂરોને દર મહિને આપશે 3000 રુપિયા

કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. રજિસ્ટર્ડ કામદારોના બાળકોના શિક્ષણ, પુત્રીઓના લગ્ન અને સારવાર માટેની યોજનાઓ છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે રજિસ્ટ્રેશન બાદ સરકાર દ્વારા ઈ-લેબર કાર્ડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ જે શ્રમિકો ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવે છે તેમને સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. 16થી 59 વર્ષની વચ્ચે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ શ્રમિક ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકે છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી જરુરી 
ઇ-શ્રમ કાર્ડ માટે નિયત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય તમે સીએસસી સેન્ટર પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

દર મહિને મળશે 3000 રુપિયાનું પેન્શન
ઈ-શ્રમ કાર્ડની નોંધણી માટે, કામદારોને કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. જેમ કે - અરજદારનું આધાર કાર્ડ, આધાર લિંક્ડ મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર વગેરે. આ દસ્તાવેજોના આધારે તમે ઈ-શ્રમ કાર્ડ માટે સરળતાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી શકશો. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને કામદારોના લાભ માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે. આ યોજના હેઠળ રજિસ્ટર્ડ કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શન તરીકે દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પોર્ટલ પર રજિસ્ટ્રેશન પર તમામ કામદારોને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે.  આ કાર્ડ 12 અંકોનું લેબર કાર્ડ છે. જે એક રીતે કામદારોની ઓળખનું કામ કરે છે.

ઈ-શ્રમ કાર્ડના ફાયદા

  • ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા મળે છે.
  • જો અકસ્માતમાં કામદારનું મોત થશે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
  • જો અકસ્માતમાં કામદાર આંશિક રીતે અપંગ હશે તો તેને માત્ર 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • નોંધાયેલા કામદારોને યુએએન આપવામાં આવશે. જેથી તેમને સરકારી યોજનાનો લાભ મળી શકે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ