મકર સંક્રાતિના તહેવારનું જેટલું ધાર્મિક મહત્વ રહેલુ છે તેટલુ જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ દિવસે સૂર્ય દેવ દક્ષિણાયનથી ઉત્તરાણ થઇને મકર રાશિમાં પ્રવેશે છે. મકર સંક્રાંતિના દિવસે દાન કરવાની મહિમા રહેલી છે.
જ્યોતિષ અનુસાર, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો યોગ બને છે અને આ સિવાય પણ ઘણા બદલાવ આવે છે. મકર અને કર્ક રાશિ માટે આ વધારે લાભદાયી છે. આ વર્ષે સૂર્ય તારીખ 14 જાન્યુઆરીના રાત્રે મકર રાશિમાં પ્રવેશી રહ્યો છે કારણ કે સંક્રાંતિનું પુણ્ય સ્નાન સૂર્યોદય પર કરવામાં આવે છે. આ વખતે મકર સંક્રાતિ તારીખ 15 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે. તેનો શુભ સમય તારીખ 15 જાન્યુઆરીના દિવસે સવારે 7.19 થી સાંજે 5.46 કલાક સુધીનો છે, તેનો મહાપુણ્ય કાળ સવારે 7.19 થી સવારે 9.03 સુધીનો છે. સંક્રાંતિનો સમય 1 કલાક 53 મિનિટનો છે.