રવિવાર, 26 એપ્રિલે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિ છે. આ તિથિએ દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. હાલ દેશભરમાં કોરોનાવાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં ઘરમાં જ રહીને પૂજાપાઠ કરવા જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ.
લોકડાઉનમાં ઘરની બહાર જઇ શકાશે નહીં. જેથી તમે દાન કરવા માંગતાં હોવ, તો તેનો સંકલ્પ કરી લો. આ દાન પછી પણ કરી શકાય છે. આ દિવસે જળથી ભરેલાં કળશ, બૂટ, છત્રી, ગાય, જમીન અને સોનાનું દાન કરવું જોઇએ. પિતૃઓનું તર્પણ પણ કરવું જોઇએ.
આ સાથે જ ઘરમાં સુખ-સમુદ્ઘિ જાળવી રાખવાની કામનાથી વિષ્ણુજી સાથે જ લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઇએ.
શ્રીલક્ષ્મીજી પૂજાની સરળ વિધિ:
- અખાત્રીજે સ્નાન બાદ ઘરના મંદિરમાં જ લક્ષ્મી પૂજનની વ્યવસ્થા કરો. પૂજા શરૂ કરતાં પહેલાં ગણેશજીનું પૂજન કરો. ભગવાન ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ અને ચોખા ચઢાવો.
- ગણેશજી બાદ દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ કરો. માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની ચાંદી, પારદ અથવા સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકો છો.
- માતા લક્ષ્મીને પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન આપો. એટલે આસન આપો. આ બધું ભાવનાત્મક રીતે કરવું જોઇએ. માતા લક્ષ્મીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી પછી પંચામૃતથી અને ફરી જળથી કરાવવું જોઇએ.
- માતા લક્ષ્મીને વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. ફૂલની માળા પહેરાવો. સુગંધિત અત્તર અર્પણ કરો. પ્રસાદ ચઢાવો. કંકુથી તિલક કરો. ધૂપ અને દીપ પ્રગટાવો. માતા લક્ષ્મીને ગુલાબ અને કમળના ફૂલ વિશેષ પ્રિય છે. આ ફૂલ ચઢાવો. ચોખા અર્પણ કરો. ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. પરિક્રમા કરો. મહાલક્ષ્મી પૂજામાં ૐ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરો.