હિંદુ ધર્મમાં હોળીના તહેવારને સુખ, સમુદ્ઘ, ભાઇચારો અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. હોળીના તહેવાર પર વાસ્તુ એવું હોવુ જોઇએ જે પોઝિટિવ એનર્જીને આકર્ષિત કરે અને નેગેટિવ એનર્જીને બહાર કરે, તેથી અમે તમને જણાવવા જઇ રહ્યા છે કેટલીક વાસ્તુ ટિપ્સ જે હોળીમાં વિશેષ રૂપથી અજમાવો.
- હોળીનો તહેવાર અને રાધા-કૃષ્ણની જોડી એકબીજાના પૂરક છે. હોળી પર આ વખતે રાધા-કૃષ્ણનું સુંદર પ્રતિમા લાવો અને ધરના મુખ્ય દ્વાર પર પીળું આસન પાથરીને સ્થાપિત કરો. હોળી રમતા પહેલા રાધા-કૃષ્ણને ગુલાલ લગાવો. આ સાથે જ ગુજિયા અને અન્ય પકવાન અર્પિત કરો.
- હોળીના તહેવાર પર ઠંડાઇનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુ નિષ્ણાતો અનુસાર, મહેમાનો ઠંડાઇ આપતા પહેલા ગણેશજીને અર્પિત કરો. તમે ઇચ્છો તો ભગવાન ગણેશજીની પ્રતિમાને હોળીના સમયે ઘરના મુખ્ય રૂમમાં સ્થાપિત કરી શકો છો. આ પ્રતિમાને હોળી દિવસે ગુલાબની પાંખડીઓથી સજાવી શકો છો.
- રંગોના તહેવારમાં રંગોળી ના બનાવો તો કેમનું ચાલે ? હોળીના તહેવાર પર ઘરના મુખ્ય દરવાજા પાસે રંગોળી બનાવો. આ સાથે જ પોઝિટિવ એનર્જીને પણ રંગોળીમાં શામેલ કરી શકો છો. રંગોળીના રંગ તમારા ઘરને ખુશીથી ભરી દેશે.
- આ વખતે હોળી તમે ઘરની પૂર્વ દિશામાં દિવાલ પર ઉગાત સૂરજની ફોટો, પેઇન્ટિંગ કે પછી કોઇ કલાકૃતિ લગાવી શકો છો. ઉગતો સૂર્ય સમાજમાં તમને વિશેષ સ્થાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેના પ્રભાવથી તમારા સામાજિક સંબંધો પણ મધુર રહે છે.
- જો તમારા ઘરમાં વિન્ડ ચાંઇબ ન હોય તો આ વખતે હોળી પર આ સુંદર વસ્તુ લાવો. ફેંગશુઇ અને વાસ્તુ બંનેમાં તેને ગુડ લકનું ચિન્હ માનવામાં આવે છે. કાનોને શાંતિ આપતો તેનો મધુર અવાજ જીવનમાં પણ સુખ-શાંતિ લાવશે.
- ઘરના મુખ્ય દરવાજાને સૌથી મહત્વનો માનવામાં આવે છે. તે સ્વચ્છ હોવાની સાથે-સાથે સુંદર રીતે સજાવેલો પણ હોવો જોઇએ. મુખ્ય દ્વાર પર પૂર્વ દિશા બાજુ તમે છોડ લગાવી શકો છો.
- જો તમે તમારા ઘરની બહાર તમારા નામની નેમ પ્લેટ નથી લગાવી તો હોળીના શુભ અવસર પર આ કામ કરી શકો છો. ઘરની બહાર સુંદર નેમ પ્લેટ લગાવો. તેમાં તમારું નામ મોટા-નાના અક્ષરમાં લખેલું હોવુ જોઇએ. વાસ્તુ પ્રમાણે નેમ પ્લેટને પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, નેમ પ્લેટ લગાવવાથી ખુશીઓ સામેથી તમારા ઘરે આવશે.