ભારત એક એવો દેશ છે જ્યાં ધનની ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પૂજા કરવામાં આવે છે. મનુષ્ય ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં બીજો પુરુષાર્થનો અર્થ એટલે કે ધન..
ધનથી વ્યકિતનું આર્થિક જીવન સબળ થાય છે, સાથે જ તેનું સામાજિક સ્તર પણ ઉંચુ થાય છે. પૈસાનો અભાવ હોય તો વ્યકિત પોતાની જરૂરિયાતો પૂરી નથી કરી શકતો. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ધન પ્રાપ્તિ માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે, તે કરવાથી પૈસાની તંગીનો સામનો નહી કરવો પડે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ય, ભૌતિક સુખ સુવિધા વગેરેનો કારક માનવામાં આવે છે. જો કોઇ વ્યકિતની કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમા હોય તો આર્થિક જીવન સારું જાય છે. શુક્ર નબળો હોય તો આર્થિક તકલીફો પડે છે. ગુરુ ગ્રહ ધન સાથે જ જોડાયેલો છે.
કુંડળીના બીજાને ભાવને ધન ભાવ કહેવાય છે. તેનાથી વ્યકિત જીવનમાં કેટલું ધન કમાશે, કેટલું બચાવશે તે જોઇ શકાશે. વ્યકિતને પૈસાદાર બનાવવા માટે બીજા અને અગિયારમાં ઘરમાં ગ્રહો મજબૂત હોવા જરૂરી છે. જો આવું ન હોય અને પૈસાની તકલીફ ભોગવી રહ્યા હોવ તો તમે નીચે મુજબના ઉપાય કરી શકો છો..
કુંડળીમાં શુક્ર અને ગ્રહની સ્થિતિને મજબૂત કરો.
કુંડળીના બીજા અને અગિયારમા ભાવ અને બંને ભાવના માલિકોને બળવાન બનાવો.
શુક્રવાર પૂજનમાં શ્રીસુક્સના પાઠ કરો.
તુલસીના છોડ વાવો અને પૂજો કરો.
રોજ ઘરની સાફ સફાઇ કરો.
ધનના દેવતા કુબેરની પૂજા કરો.
શ્રીયંત્ર, મહાલક્ષ્મી યંત્ર અને શ્રી ધન વર્ષા યંત્રની સ્થાપના કરી પૂજા કરો.