બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do these remedies with a copper pot before sleeping at night your luck will change

એસ્ટ્રોલોજી / રાત્રે તાંબાના લોટામાં પાણી ભરીને મૂકી લો, સવારે ઊઠીને કરો આ ઉપાય: દૂર થઈ જશે મોટામાં મોટી સમસ્યા

Manisha Jogi

Last Updated: 10:15 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાંબાના લોટાથી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને અશુભ ગ્રહની અસર ઓછી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાથી વિશેષ ઉપાય કરવામાં આવે છે.

  • તાંબાના લોટાથી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાનું વિધાન
  • તાંબાના લોટાથી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે 
  • આ ઉપાય કરવાથી માન સમ્માન અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે

સનાતન ધર્મમાં તાંબાના લોટાથી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાનું વિધાન છે. કળશ સ્થાપના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબાના લોટાથી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને અશુભ ગ્રહની અસર ઓછી થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટાથી વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય કરવાથી માન સમ્માન અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તમે પણ જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, તો તાંબાના લોટાથી ઉપાય જરૂરથી કરવા જોઈએ. 

તાંબાના લોટાથી આ ઉપાય કરો

  • તમને પણ જીવનમાં સફળતા નથી મળી રહી અને કામમાં અડચણ આવી રહી છે, તો તમે તાંબાના લોટાથી ઉપાય કરી શકો છો. તે માટે રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં જળ ભરી લો. હવે તે જળમાં એક ચપટી શિંદૂર નાખીને સૂતા સમયે તમારા માથા પાસે રાખો. સવારે ઉઠીને તે જળ તુલસીના છોડમાં અર્પણ કરો. આ ઉપાય કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 
  • તમારા પરિવારમાં કલેશની પરિસ્થિતિ ઊભી થાય છે, તો તેનાથી રાહત મેળવવા માટે દરરોજ સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ લો. હવે તેમાં શિંદૂર અને ચોખા નાખીને સૂર્યદેવતાને જળ અર્પણ કરો. આ ઉપાય કરવાતી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. ઉપરાંત પરિવારના સભ્યોને કરિઅર અને કારોબારમાં સફળતા પ્રાપ્ત થાય છે. 
  • કુંડળીમાં સૂર્ય અને મંગળ નબલો હોય તો તાંબાના લોટામાં જળ ભરીને પીપળાના ઝાડ પર અર્ધ્ય અર્પણ કરો. આ પ્રકારે કરવાથી કુંડલીમાં સૂર્ય તથા મંગળ મજબૂત થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે. 
  • તમે પણ વાસ્તુદોષથી પરેશાન છો, તો તેનાથી રાહત મેળવવા માટે સૂતા પહેલા તાંબાના લોટામાં જળ ભરીને માથા પાસે રાખો. બીજા દિવસે તે જળ શમીના ઝાડમાં અર્પણ કરો. આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ