આવતીકાલે ધનતેરસ છે અને સાથે જ ધામધૂમથી દિવાળીના તહેવારોની શરૂઆત થશે. આ વર્ષે ધનતેરસ પર શું ખરીદવું છે તે અંગે તમે વિચારી તો લીધુ જ હશે. ધનતેરસે વાસણ અને સોના ચાંદીના ઘરેલા ખરીદવાની પ્રથા છે. આ સાથે જ જો તમે અષ્ટ ધાતુમાંથી બનેલી ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા ખરીદશો તો વિશેષ લાભ મળશે.
- અષ્ટ ધાતુમાંથી બનેલી મૂર્તિઓને હિંદુ સંસ્કૃતિમાં વિશે મહત્વ આપવામાં આવ્યુ છે. તેના પ્રભાવથી નકારાત્મકતાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જામાં વુદ્ઘિ થાય છે. અષ્ટ ધાતુમાંથી બનેલી લક્ષ્મી ગણેશની મૂર્તિની પૂજા ધન તેરસ અને દિવાળીના દિવસે કરવી જોઇએ.
- ધનતેરસના દિવસે ઓછું બજેટ હોય તો સોના કે ચાંદીના સિક્કા ચોક્કસથી ખરીદવા જોઇએ. આ સિક્કાની પૂજા પણ કરવી જોઇએ. આમ કરવાથી માતા લક્ષ્મીજીનું ઘરમાં આગમન થાય છે. આ ઉપરાંત તમે યશાશક્તિ ચાંદીના વાસણ ખરીદી શકો છો.
- ધનતેરસના દિવસે ઝાડુની ખરીદી શુભ માનવામાં આવે છે. ઝાડુ ખરીદવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. આમ કરવાથી લક્ષ્મીજીની કૃપા બની રહે છે. ધન તેરસના દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
- ધનતેરસે લક્ષ્મીજીને ચડાવવા માટે ધાણા ખાસ ખરીદવા જોઈએ. આ દિવસે ધાણા ખરીદવા શુભ માનવામાં આવે છે. ધાણાને પૂજા સમયે લક્ષ્મીજીને ચડાવવા જોઇએ. અનુક બીના કુંડામાં રોપી દેવા જોઇએ તો થોડા તિજોરીમાં રાખવા જોઇએ. આમ કરવાથી તમારા પર લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહેશે.