બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Hiralal
Last Updated: 08:14 PM, 29 February 2024
લીપ ડે (29 ફેબ્રુઆરી 1896)ના રોજ જન્મેલા મોરારજી દેસાઇ દેશના છઠ્ઠા વડાપ્રધાન હતા. આ જ કારણ છે કે 99 વર્ષના તેમના જીવનમાં તેમનો જન્મદિવસ 25થી પણ ઓછો વખત આવ્યો હતો. તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા. તેઓ માત્ર બે વર્ષ માટે જ વડાપ્રધાન બની શક્યા હતા, પરંતુ આ ટૂંકા કાર્યકાળ દરમિયાન તેમણે પોતાના વિશે આવી જ એક વાત કહી હતી, જે હવે દંતકથા સમાન બની ગઈ છે. તે દંતકથા એવી છે કે મોરારજી દેસાઈ પોતાના પેશાબનું સેવન કરતા હતા. 'મોરારજી કોલા' જેવા જોક્સની સાથે સાથે કેટલાક સર્કલમાં પણ તે ગંભીર ચર્ચાનો વિષય બન્યો હતો. પણ શું આ વાત ખરેખર સાચી છે? અથવા 'મોરારજી કોલા' ની વાર્તા ફક્ત બીજી એક શહેરી દંતકથા છે?
Remembering Bharat Ratna Morarji Desai, the former Prime Minister of India, on his Jayanti.
— G Kishan Reddy (@kishanreddybjp) February 29, 2024
He was a great human, philanthropist, institution-builder, and great reformer who contributed immensely to the nation.
My humble tribute to him. pic.twitter.com/7xCW6U0LpA
અમેરિકામાં મુલાકાતમાં કર્યો ખુલાસો
1978ની સાલ હતી. મોરારજી દેસાઈની ઉંમર 80 વર્ષથી વધુ હતી. પરંતુ તેઓ રાજનીતિમાં સંપૂર્ણ રીતે સક્રિય હતા અને દેશની કમાન સંભાળી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી બાદ દેસાઈ કેટલાક મોટા ફેરફારોનું વચન આપીને વડા પ્રધાન બન્યા હતા. વચનોની એક લાંબી યાદીમાંની એક હતી ભારતના સોવિયેત તરફી ઝુકાવનો અંત આણવાનો, જે 1971માં ભારત-સોવિયેત સંધિ પર હસ્તાક્ષર થયા બાદ વિશેષ કરીને મજબૂત બન્યો હતો. દેસાઈએ યુ.એસ. સાથેના ભારતના તે સમયના તણાવપૂર્ણ સંબંધોને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરી 1978માં અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે ભારતની મુલાકાત લીધી અને જૂનમાં દેસાઈ અમેરિકા ગયા. પરંતુ વડાપ્રધાનની એ મુલાકાત તેમની રાજકીય સૂઝબૂઝ અને ભારતની વિદેશ નીતિ માટે નહીં, પરંતુ મોરારજી દેસાઈના પેશાબ પીવાના નિવેદનને કારણે ચર્ચામાં આવી હતી.
1978 :: PM Morarji Desai Deep In Thought pic.twitter.com/iW8lI7U7rx
— indianhistorypics (@IndiaHistorypic) February 29, 2024
82 વર્ષે આટલા તંદુરસ્ત કેમ? પૂછાતાં મોરારજીએ આપ્યો જવાબ
અમેરિકાની મુલાકાત દરમિયાન મોરારજી દેસાઇએ સીબીએસના સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન '60 મિનિટ્સ'ને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ઈન્ટરવ્યુ લેનારનું નામ ડેન રાથેર હતું. પત્રકારે વડાપ્રધાનને પૂછ્યું કે, તેઓ 82 વર્ષની ઉંમરે પણ આટલા સ્વસ્થ કેવી રીતે છે, આનું રહસ્ય શું છે? તેના જવાબમાં દેસાઈએ જણાવ્યું હતું કે તેમના આહારમાં ફળો અને શાકભાજીના રસ, તાજું દૂધ, સાદું દહીં, મધ, તાજા ફળો, કાચા ફળોનો સમાવેશ થાય છે. તે દરરોજ લસણની પાંચ કળી ખાય છે. "અને હું દરરોજ સવારે ખાલી પેટ મારું પેશાબ પીઉં છું. આ સાંભળીને પત્રકારનું મોંઢું ચઢઈ ગયું હતું અને બોલ્યાં કે શું તમે તમારું પોતાનું પેશાબ પીવો છો?" મેં આનાથી વધુ ઘૃણાસ્પદ કંઈપણ સાંભળ્યું નથી. જો કે પત્રકારના આ પ્રતિભાવથી દેસાઈને કોઈ ફરક પડ્યો નહીં, કારણ કે તેમણે પેશાબ પીવાને "કુદરતી ઉપાય" ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, "જો તમે પ્રાણીઓ તરફ જુઓ છો, તો તેઓ ફિટ રહેવા માટે પોતાનો પેશાબ પીવે છે ... મારા દેશમાં બાળકોને પેટમાં દુ:ખાવો થાય ત્યારે માતાઓ તેમને યુરિન આપે છે. હિન્દુ ફિલોસોફીમાં... ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે, અને દરેક વિધિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોએ તેને જરૂરથી પીવું જોઈએ.
Today, we remember and honor the legacy of Morarji Desai, a pivotal figure in India’s history and a symbol of integrity and resilience.
— Ashish Sood (@ashishsood_bjp) February 29, 2024
His dedication to the nation’s principles and his role as a leader in promoting peace and non-violence echo through the years.
As we mark his… pic.twitter.com/4fCZSCQsjR
સ્વમૂત્ર મફત અને વધુ અસરકારક
દેસાઇએ એ પણ સમજાવ્યું કે કેવી રીતે યુ.એસ. વૈજ્ઞાનિકો હૃદયની સમસ્યાઓ માટે પેશાબના અર્ક તૈયાર કરી રહ્યા છે. "તમારા લોકો બીજા લોકોનો પેશાબ પીવે છે, પરંતુ તેમનો પોતાનો નહીં. તેઓ આ માટે હજારો ડોલર ખર્ચ કરે છે, જ્યારે તમારો પોતાનો પેશાબ મફત અને વધુ અસરકારક છે. જો તમે તમારો બધો પેશાબ પીવો છો, તો શરીર થોડા દિવસોમાં સાફ થઈ જાય છે. ત્રીજા દિવસ સુધીમાં, તમારો પેશાબ કોઈ રંગ વિનાનો થઈ જશે, કોઈ ગંધ અથવા કોઈ સ્વાદ નહીં આવે અને તે લગભગ પાણી જેટલું શુદ્ધ થઈ જશે. તમને ખૂબ સારું લાગશે કારણ કે તમારી સિસ્ટમમાં નોંધપાત્ર સુધારો અને સફાઈ થઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ