બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni, Virat, Rohit... Yashaswi did what no one could do, did you hear this from Sehwag?
Pravin Joshi
Last Updated: 03:51 PM, 20 May 2023
યશસ્વીએ ગ્રુપ સ્ટેજની 14 મેચમાં 625 રન બનાવ્યા છે. તે એક સિઝનમાં 600 રનનો આંકડો પાર કરનારો ભારતનો પ્રથમ અનકેપ્ડ ખેલાડી છે. આ પહેલા ઈશાન કિશને 2020માં 516 રન બનાવ્યા હતા. વિશ્વભરના ખેલાડીઓની રેસમાં પણ યશસ્વી ટોપ પર છે. તેણે ઓસ્ટ્રેલિયાના શોન માર્શને બીજા નંબર પર ધકેલી દીધો છે. માર્શે આઈપીએલ 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા 616 રન બનાવ્યા હતા. એટલે કે અત્યાર સુધી કોઈ અનકેપ્ડ બેટ્સમેન આટલી શાનદાર સિઝન રહી નથી. આ યુવા ક્રિકેટરને લઈને રાજસ્થાન રોયલ્સના દિગ્ગજે તેમના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અમારી પાસે એક અદભૂત ટીમ છે પરંતુ અમે ટેબલ પર ક્યાં ઊભા છીએ તે આશ્ચર્યજનક છે. હું લગભગ દરેક મેચમાં જયસ્વાલની વાત કરું છું. તેણે પરિપક્વતા દર્શાવી છે. એવું લાગે છે કે તેણે 100 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે...
યશસ્વીએ પંજાબ સામે 36 બોલમાં 50 રનની ઇનિંગ રમી
સેમસને આ વાત રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કહી હતી. યશસ્વી તે છોકરો છે, જેણે અત્યાર સુધી ભારત માટે ડેબ્યુ પણ નથી કર્યું. રાજસ્થાને પંજાબને ચાર વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લેઓફની તકો ખુલી ગઈ છે. તેના વિશે પછી વાત કરીશું. પહેલા જયસ્વાલની વાત કરીએ. યશસ્વીએ પંજાબ સામે 36 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. જોસ બટલરના આઉટ થયા પછી, તેણે ઇનિંગ્સને સંભાળી, જેમ કે તે આ સિઝનમાં કરી રહ્યો છે.
યશસ્વીએ 48ની એવરેજ અને 163ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
આ સિઝનમાં યશસ્વીએ 48ની એવરેજ અને 163ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અર્ધસદી ફટકારી છે. 25 વર્ષથી ઓછી ઉંમરના એવા ખેલાડીઓમાં બહુ ઓછા નામ છે જેમણે એક સિઝનમાં 600 રન બનાવ્યા હોય. અમે તમને યશસ્વી અને શોન માર્શ વિશે પહેલેથી જ કહ્યું છે. આ યાદીમાં વિરાટ કોહલી પણ સામેલ છે. કોહલીએ આ કામ 2013માં કર્યું હતું. ઋષભ પંતે 2018માં અને રૂતુરાજ ગાયકવાડે 2021માં આ કારનામું કર્યું હતું. યાદ અપાવી દઈએ કે જયસ્વાલે 11મી મેના રોજ આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અર્ધસદી બનાવી હતી. માત્ર 13 બોલમાં આ છોકરાએ ફિફ્ટી ફટકારી દીધી હતી.
સેહવાગે શું કહ્યું?
તાજેતરમાં જ પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે જયસ્વાલ અને વિરાટ કોહલી પર એક વાત કહી હતી, તે વાયરલ થઈ ગઈ હતી. સેહવાગે કહ્યું કે, યશસ્વી જયસ્વાલ ભવિષ્યનો સ્ટાર છે. તેણે વિરાટ કોહલી પાસેથી ફિફ્ટી કન્વર્ટ કરવાની કળા શીખી છે. ઘણા બેટ્સમેનો 13 બોલમાં 50 રન કર્યા પછી પોતાની વિકેટ ફેંકી દે છે, પરંતુ યશસ્વી આગળ વધવા માંગે છે. તેની પાસે મોટી ઇનિંગ્સ રમવાની કુશળતા છે.
મેચમાં શું થયું?
હવે વાત કરીએ મેચની. પ્રભસિમરન સિંહને ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં જ આઉટ કર્યો હતો. આ પછી અથર્વ ટાઈડે કેપ્ટન શિખર ધવન સાથે નાની ભાગીદારી કરી. જો કે, તેમના ફિનિશર્સે પંજાબ માટે રન બનાવ્યા હતા. આ એપિસોડમાં પહેલું નામ છે જીતેશ શર્માનું. આ વિકેટ કીપર બેટ્સમેને મધ્ય ઓવરોમાં રન બનાવવાની ગતિ જાળવી રાખી હતી. જીતેશે 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. છેલ્લી ભાગીદારી સેમ કરણ અને શાહરૂખ ખાન વચ્ચે થઈ હતી. કરણે 31 બોલમાં 49 અને શાહરૂખે 23 બોલમાં 41 રન બનાવ્યા હતા. બંનેએ મળીને 73 રન જોડ્યા. જેના કારણે પંજાબે બોર્ડ પર 187 રન બનાવ્યા હતા. નવદીપ સૈની બોલિંગમાં મોંઘો સાબિત થયો હતો. ચાર ઓવરમાં નવદીપે 40 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
આરઆર ક્વોલિફાય થવાની ઘણી ઓછી શક્યતાઓ
બટલરે કામ ન કર્યું, પરંતુ જયસ્વાલને દેવદત્ત પદ્દીકલ દ્વારા ટેકો મળ્યો. બંનેએ રાજસ્થાનના ચેઝને તાકાત આપી હતી. અંતે શિમરોન હેટમાયરે 46 અને રિયાન પરાગે 20 રન બનાવી પોતાની ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. પંજાબ તરફથી કાગીસો રબાડાએ બે વિકેટ ઝડપી હતી. આ મેચ જીત્યા બાદ રાજસ્થાનના ખાતામાં 14 પોઈન્ટ થઈ ગયા છે. આ ટીમનો નેટ રનરેટ +0.148 છે. સંજુ સેમસનની ટીમે આરસીબીથી ઉપર જવા માટે 18.3 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરવો પડ્યો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. હવે આરઆર ક્વોલિફાય થવાની ઘણી ઓછી શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ