બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / 'Dhirendra Shastri talks about eternal religion, not spreading superstitions', BJP leader Bharat Boghra hits out at Congress

રાજકોટ / 'ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાતો કરે છે, અંધશ્રદ્ધા નથી ફેલાવતા', ભાજપ નેતા ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

Vishal Khamar

Last Updated: 06:39 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી સમયમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ર્ડા. ભરત બોઘરાએ કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

  • રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાશે દિવ્ય દરબાર
  • ધીરેન્દ્ર શાસ્ત્રી અમારા માર્કેટિંગ એજન્ટ નથીઃ ભરત બોઘરા
  • ડૉ.ભરત બોઘરાએ કોંગ્રેસના નેતાઓ પર કર્યા પ્રહાર 

 રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારને લઈને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ર્ડા. ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મની વાત કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવતા નથી. તેમજ વધુમાં ર્ડાં. ભરત બોઘરાએ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ તો એવું પણ કહે છે કે ભગવાન શ્રી રામ પણ નથી.  ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અમારા માર્કેટિંગ એજન્ટ નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યાલયની લીધી મુલાકાત
આગામી તા. 1  અને 2 જૂનનાં રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો લોક દરબાર યોજાવાનો છે. જેને લઈને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં કાર્યક્રમ માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓ અને આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરવા સી.આર. પાટીલ પહોંચ્યા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છાઓ પાઠવી
આ બાબતે રાજકોટ બાગેશ્વરઘામ સમિતિનાં ચેરમેન યોગીન છનીયારાએ જણાવ્યું હતું કે, આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બાગેશ્વરધામ સેવા સમિતિનાં રેસકોર્સ ખાતેનાં કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.  તેમજ તેઓએ અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનાં આયોજન માટે તેઓએ અમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે સમગ્ર આયોજન બાબતે તેઓએ અમને તમામ મદદ કરવાની ખાત્રી આપી છે.

યોગીન છનીયારા (ચેરમેન, બાગેશ્વધામ સમિતિ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ