બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદ કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કર્યો, ફરિયાદીએ કોર્ટમાં હાજર રહી સમાધાનનું કહ્યું

અમદાવાદ / સાણંદ કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કર્યો, ફરિયાદીએ કોર્ટમાં હાજર રહી સમાધાનનું કહ્યું

Vishal Khamar

Last Updated: 06:06 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચાંગોદરના ઠગાઈ કેસમાં દેવાયત ખવડ નિર્દોષ જાહેર થયો છે. સાણંદ કોર્ટે લોક સાહિત્યકારને નિર્દોષ જાહેર કર્યો છે. અગાઉ બંને પક્ષે સમાધાન થયું હતું.

અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં નોંધાયેલા છેતરપિંડી કેસમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને સાણંદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાની માહિતી સામે આવી હતી.

મળતી માહિતી મુજબ, કેસ સંબંધિત કાર્યવાહી દરમિયાન ફરિયાદી કોર્ટમાં હાજર રહ્યા હતા અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયાનું સત્તાવાર નિવેદન આપ્યું હતું. ફરિયાદીના નિવેદનને આધારે કોર્ટે દેવાયત ખવડને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ કર્યો.

આ કેસને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી હતી. સમાધાન બાદ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં દેવાયત ખવડને રાહત મળી છે. કોર્ટે આપેલા આદેશ બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર- ઉચ્ચ પદોની ભરતી નિયમોમાં મોટો સુધારો કરાયો, લાયક ઉમેદવારોને લાભ

ઉલ્લેખનીય છે કે અગાઉ બંને પક્ષો વચ્ચે સમાધાન થવાની માહિતી મળી હતી, જેના આધારે અંતે કોર્ટનો નિર્ણય આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad dewayat khawad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ