બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Arohi
Last Updated: 08:46 AM, 22 March 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે. ગુરૂવારે બે કલાક પુછપરછ કર્યા બાદ ઈડીએ તેમને અરેસ્ટ કરી લીધા. સીએમ કેજરીવાલના દિલ્હીના કથિત દારૂ ઘોટાળા સાથે જેડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ કરવામાં આવી છે. તેના પહેલા આ વર્ષે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમણે ધરપકડ પહેલા રાજીનામુ આપી દીધુ હતું.
સીએમ કેજરીવાલની ધરપકડને આમ આદમી પાર્ટીએ રાજનૈતિક ષડયંત્ર જણાવ્યું છે. તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તેને ખોટુ ગણાવ્યું છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે.
આતિશીએ કહ્યું, "અમે પહેલા પણ કહી ચુક્યા છીએ કે જો જરૂર પડી તો કેજરીવાલ દિલ્હીથી સરકાર ચલાવશે. તે જેલમાંથી સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આમ કરવાથી નહીં રોકી શકે. તે દોષી સાબિત નથી થયા. માટે તે દિલ્હીના મુખ્યમંત્રી રહેશે."
શું આમ થઈ શકે છે?
જેલમાંથી સરકાર ચલાવવી તમે સાંભળ્યું નહીં હોય પરંતુ એવો કોઈ કાયદાકીય નિયમ નથી જે મુખ્યમંત્રીને આમ કરવાથી રોકી શકે. છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી લોખંડના ચણા ચાવવા જેવું કામ રહેશે. હકીકતે જ્યારે કોઈ કેદી આવે છે તો તેને ત્યાંની જેલ મેનુઅલ ફોલો કરવું પડે છે. જેલની અંદર બધા કેદીના બધા જ ખાસ અધિકાર ખતમ થઈ જાય છે ભલે કે અંડરટ્રાયલ કેદી હોય કે ન હોય. જોકે મૌલિક અધિકાર બની રહે છે.
જેલમાં દરેક કામ સિસ્ટમેટિક રીતે થાય છે. જેલ મેનુઅલ અનુસાર જેલમાં બંધ દરેક કેદીને અઠવાડિયામાં બે વખત પોતાના સંબંધિઓ કે મિત્રોને મળવાની પરવાનગી આપવામાં આવે છે. આ મુલાકાતનો સમય પણ અડધા કલાકનો હોય છે.
આટલું જ નહીં જેલમાં બંધ નેતા ચૂંટણી ચો લડી શકે છે. સદનની કાર્યવાહીમાં શામેસ પણ થઈ શકે છે. પરંતુ ત્યાં કોઈ પ્રકારની બેઠક નથી કરી શકતા. જાન્યુઆરીમાં જ્યારે ઈડીને હેમંત સોરેનની ધરપકડ કરી તો PMLA કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
વધુ વાંચો: દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ, EDની મોટી કાર્યવાહી
તેના ઉપરાંત કેદી જ્યાં સુધી જેલમાં છે. તેની ઘણી ગતિવિધિઓ કોર્ટના આદેશ પર નિર્ભર કરે છે. કેદી પોતાના વકીલ દ્વારા કોઈ કાયદાકીય દસ્તાવેજ પર સહી તો કરી શકે છે. પરંતુ કોઈ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime