બ્રેકિંગ ન્યુઝ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે. ગુરૂવારે બે કલાક પુછપરછ કર્યા બાદ ઈડીએ તેમને અરેસ્ટ કરી લીધા. સીએમ કેજરીવાલના દિલ્હીના કથિત દારૂ ઘોટાળા સાથે જેડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT

અરવિંદ કેજરીવાલ પહેલા એવા મુખ્યમંત્રી છે જેમની પદ પર રહેતા ધરપકડ કરવામાં આવી છે. તેના પહેલા આ વર્ષે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમણે ધરપકડ પહેલા રાજીનામુ આપી દીધુ હતું.
ADVERTISEMENT
સીએમ કેજરીવાલની ધરપકડને આમ આદમી પાર્ટીએ રાજનૈતિક ષડયંત્ર જણાવ્યું છે. તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તેને ખોટુ ગણાવ્યું છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે.
આતિશીએ કહ્યું, "અમે પહેલા પણ કહી ચુક્યા છીએ કે જો જરૂર પડી તો કેજરીવાલ દિલ્હીથી સરકાર ચલાવશે. તે જેલમાંથી સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આમ કરવાથી નહીં રોકી શકે. તે દોષી સાબિત નથી થયા. માટે તે દિલ્હીના મુખ્યમંત્રી રહેશે."
ADVERTISEMENT

શું આમ થઈ શકે છે?
જેલમાંથી સરકાર ચલાવવી તમે સાંભળ્યું નહીં હોય પરંતુ એવો કોઈ કાયદાકીય નિયમ નથી જે મુખ્યમંત્રીને આમ કરવાથી રોકી શકે. છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી લોખંડના ચણા ચાવવા જેવું કામ રહેશે. હકીકતે જ્યારે કોઈ કેદી આવે છે તો તેને ત્યાંની જેલ મેનુઅલ ફોલો કરવું પડે છે. જેલની અંદર બધા કેદીના બધા જ ખાસ અધિકાર ખતમ થઈ જાય છે ભલે કે અંડરટ્રાયલ કેદી હોય કે ન હોય. જોકે મૌલિક અધિકાર બની રહે છે.
ADVERTISEMENT
જેલમાં દરેક કામ સિસ્ટમેટિક રીતે થાય છે. જેલ મેનુઅલ અનુસાર જેલમાં બંધ દરેક કેદીને અઠવાડિયામાં બે વખત પોતાના સંબંધિઓ કે મિત્રોને મળવાની પરવાનગી આપવામાં આવે છે. આ મુલાકાતનો સમય પણ અડધા કલાકનો હોય છે.
આટલું જ નહીં જેલમાં બંધ નેતા ચૂંટણી ચો લડી શકે છે. સદનની કાર્યવાહીમાં શામેસ પણ થઈ શકે છે. પરંતુ ત્યાં કોઈ પ્રકારની બેઠક નથી કરી શકતા. જાન્યુઆરીમાં જ્યારે ઈડીને હેમંત સોરેનની ધરપકડ કરી તો PMLA કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
ADVERTISEMENT

વધુ વાંચો: દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ, EDની મોટી કાર્યવાહી
ADVERTISEMENT
તેના ઉપરાંત કેદી જ્યાં સુધી જેલમાં છે. તેની ઘણી ગતિવિધિઓ કોર્ટના આદેશ પર નિર્ભર કરે છે. કેદી પોતાના વકીલ દ્વારા કોઈ કાયદાકીય દસ્તાવેજ પર સહી તો કરી શકે છે. પરંતુ કોઈ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.