ઓમિક્રોન અત્યાર સુધી સૌથી તેજીથી ફેલાતો કોરોના વેરિએન્ટ છે. જ્યારે ડેલ્ટાએ ગત વર્ષ કહેર વર્તાવ્યો હતો. ત્યારે સાઈપ્રસના શોધકર્તાએ આ અઠવાડિયે પોતાના નિષ્કર્ષ GISAID ને મોકલ્યા છે. GISAID એક આંતરરાષ્ટ્રીય ડેટા બેસ છે. જે વાયરસને ટ્રેક કરે છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોટર્સના જણાવ્યાનુંસાર સાઈપ્રસને અત્યાર સુધીના ડેલ્ટા ક્રોનના 25 મામલા મળ્યા છે. જો કે કોઈ ફણ દેશમાં તેની ખરાઈ નથી થઈ.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વચ્ચે મ્યૂટેશનની ફ્રીક્વેન્સી વધારે હતી
સાઈપ્રસ વિશ્વવિદ્યાલયમાં જૈવ પ્રોદ્યોગિક અને મોલિક્યૂલર વાયરોલોજીની પ્રયોગશાળાના પ્રમુખ ડો. લિયોનડિઓસ કોસ્ત્રિકિસે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વચ્ચે મ્યૂટેશનની ફ્રીક્વેન્સી વધારે હતી અને આ નવા વેરિએન્ટ અને હોસ્પિટલમાં દાખલ થવાની વચ્ચેન સંબંધનો ઈશારો કરે છે.
આ વેરિએન્ટ ડેલ્ટાથી કેવી રીતે અલગ છે
તેમણે એ વાત પર ભાર મુક્યો છે કે નવા વેરિએન્ટના જેનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા સમાન છે. આ સાથે તેમાં ઓમિક્રોનના કેટલાક મ્યૂટેશન મળ્યા છે. સાઈપ્રસના સ્વાસ્થ્ય મંત્રી મિખલિસ હદીપેન્ટેલસે કહ્યું કે નવા વેરિએન્ટને લઈને કોઈ પ્રકારની ચિંતા કરવાની જરુર નથી.
...એટલો ખતરનાક સાબિત નહીં થાય
ડેલ્ટાક્રોન પર કેટલાક વાયરોલોજિસ્ટે કહ્યું છે કે આ કોઈ નવા વેરિએન્ટ નથી. જેમાં વાયરસના ફાઈલોજેનેટિક પર ટ્રેસ અથવા પ્લોટ ન કરી શકાય. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મોલિક્યૂલર ઈમ્યુનોલોજી એન્ડ વાયરોલોજીના પ્રોફેસર સુનીત સિંહે કહેયું કે આ એક આરએનએ વાયરસની પ્રકૃતિમાં છે. જેમ કે SARS -COV-2 વિશેષ રુપથી ઉત્પરિવર્તન કરવા માટે એક શ્વલન પ્રકૃતિનું છે. જ્યારે અમે કોઈ ઉત્પરિવર્તન મળી શકે છે. આના પુનઃ સંયોજન રુપોના સંશોધિત કરવાની જરુર છે. આ એટલો ખતરનાક સાબિત નહીં થાય.