બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / અજબ ગજબ / CPR to Snake Video: Snake Falls Unconscious After Being Drenched in Pesticide-Laced Water, MP Cop Tries to Save Its Life by Giving CPR
Hiralal
Last Updated: 09:11 PM, 26 October 2023
એમપીના નર્મદાપુરમના પોલીસ કોન્સ્ટેબલે એક અદ્દભુત માનવતાનું કામ કર્યું છે. જોતા જ લોકો સાપને મારી નાખે છે પરંતુ અહીં તો બેભાન પડેલા સાપને મોંએથી શ્વાસ આપીને તેમણે તેને જીવતો કર્યો હતો. મધ્યપ્રદેશના એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં પોલીસકર્મી સાપને પોતાના હાથમાં ઉઠાવીને કાન પાસે રાખીને તે જીવે છે કે નહીં તે ચેક કરતાં જોવા મળ્યાં હતા, તે જીવતો હોવાનું લાગતાં તેઓ સાપને મોંએથી શ્વાસ આપવા લાગ્યાં હતા અને થોડી વારના શ્વાસ બાદ સાપમાં પ્રાણનો સંચાર થયો હતો અને તે જીવતો થયો હતો જે પછી તેમણે તેને જંગલમાં છોડી મૂક્યો હતો.
A police constable in Madhya Pradesh is giving CPR to a snake that had fallen unconscious after being exposed to pesticide-laced water. The constable, Atul Sharma, used mouth-to-mouth resuscitation to revive the snake, which was later released safely.#Viral #Snake #CPR pic.twitter.com/2uwV957jTf
— AH Siddiqui (@anwar0262) October 26, 2023
કોણ છે પોલીસકર્મી
વીડિયોમાં દેખાતા પોલીસકર્મીની ઓળખ અતુલ શર્મા તરીકે થઈ રહી છે. તે નર્મદાપુરમની હરચંદ સેમરી ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. એવું કહેવામાં આવે છે કે તેમને તાવા કોલોનીમાં સાપની શોધ વિશે માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચીને તેમણે જોયું કે સાપ બેભાન છે. તે ચાલવામાં પણ અસમર્થ હતો. અતુલ શર્માએ જણાવ્યું કે, સાપના શરીરમાં ગંદુ પાણી ગયું હતું, જેમાં જંતુનાશક દવા ભેળવવામાં આવી હતી. જે પછી તેમણે સાપને શ્વાસ આપીને જીવતો કર્યો હતો.
સાપના પેટમાંથી ઝેરી પાણી પણ કાઢ્યું
કહેવામાં આવ્યું કે લોકોએ સાપને હટાવવા માટે ઘરમાં જંતુનાશકો મિશ્રિત પાણી ભરી દીધું હતું, જે સાપે પીધું હતું. અતુલ શર્માએ સાપના પેટમાંથી પાણી પણ કાઢીને તેને ચોખ્ખું પાણી આપ્યું હતું. સાપ સંપૂર્ણ સ્થિતિમાં આવ્યા પછી, તેઓએ તેને જંગલમાં છોડી દીધો. જો કે પશુ ચિકિત્સકોનું કહેવું છે કે સાપને આ રીતે સીપીઆર આપવું શક્ય નથી. સાપે પોતાની જાતને પર્યાવરણ સાથે અનુકૂળ કરી લીધી હશે, તેથી તે યોગ્ય સ્થિતિમાં પાછો આવ્યો હોવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime