બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / covid 19 wearing a mask is no longer mandatory in britain pm boris johnson said omicrons peak is over
Last Updated: 07:51 AM, 20 January 2022
ADVERTISEMENT
જોનસને માસ્ક સહિતના કોરોનાના નિયમો મરજિયાત કર્યા
દુનિયાભરમાં કોરોનાના કહેરની વચ્ચે બ્રિટનના પીએમ બોરિસ જોનસન ગત બુધવાર દેશમાં ફરજિયાત માસ્ક પહેરવા સહિતના અન્ય પ્રતિબંધો હટાવવાનું એલાન કર્યુ છે. પીએમ જોનસને કહ્યું કે અમારી વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશમાં કોરોનાએ નવા વેરિએન્ટ ઓમિક્રોનની લહેરનો પીક આવી ચૂક્યો છે. તેવામાં હવે સરકાર તરફથી માસ્ક પહેરવું મરજિયાત કરી શકાય છે.
ADVERTISEMENT
બ્રિટનમાં હવે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું નથી કહેવામાં આવ્યું
જોનસને કહ્યું કે દેશમાં ઓમિક્રોનની સ્થિતિને જોતા અનેક પ્રતિબંધોમાં છુટ મળ્યા બાદ બ્રિટનમાં હવે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાનું નથી કહેવામાં આવ્યું. ત્યારે સરકાર તરફથી લોકોને દરેક જગ્યો પર ફરજિયાત માસ્ક પહેરવાના નિયમોને ખતમ કરી દીધા છે. હવે લોકો ઈચ્છે તે પબ્લિક પ્લેસ પર માસ્ક વગર ફરી શકાય છે. આની સાથે સાથે જ્લ્દી સ્કૂલ કક્ષાઓમાં ફરજિયાન રુપથી માસ્ક પહેરવાનો નિયમ નહીં રહે.
ADVERTISEMENT
British PM Boris Johnson announces end of COVID-19 measures including mandatory face masks in England
— ANI (@ANI) January 19, 2022
"Our scientists believe that is likely that Omicron wave has now peaked nationally. From now on, Govt is no longer asking people to work from home," he says pic.twitter.com/NdCE9BIydl
ADVERTISEMENT
ઓમિક્રોન લગભગ પોતાના પીક પર
જોનસને સંસદને જણાવ્યું કે નવા આંકડા દર્શાવે છે કે દેશમાં ઓમિક્રોમ લગભગ પોતાના પીક પર પહોંચી ગયા છે. જે બાદ કોરોના પ્રતિબંધોમાં છુટ આપી શકાય છે. પીએમનું કહેવું છે કે એટલા માટે આજે સવારે મંત્રિ મંડળે નિર્ણય કર્યો છે કે બૂસ્ટર ડોઝને અસાધારણ અભિયાન અને જનતા દ્વારા પ્લાન બી સાવધાની ઉપાયોને લઈને જારી કરવામાં આવેલી પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખી આવતા અઠવાડિયાને ગુરુવારથી પ્લાન-એ તરફ પાછા ફરી શકે છે અને પ્લાન બીના પ્રતિબંધોને સમાપ્ત કરી શકે છે.
ADVERTISEMENT

દુનિયામાં 30.17 લાખ લોકો કોરોના સંક્રમિત
ADVERTISEMENT
ત્યારે બીજી તરફ દુનિયામાં ગત દિવસોમાં જારી રિપોર્ટ મુજબ 30.17 લાખ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે 8039 લોકોના મોત થયા છે. આ ઉપરાંત WHOએ ચેતવણી આપતા કહ્યું હતુ કે ઓમિક્રોનને હળવામાં ન લેવું સમજદારી છે. તેમણે કહ્યું કે કોરોનાના અન્ય વેરિએન્ટ પણ આવી શકે છે. એટલા માટે તમામ દેશોને સતર્ક રહેલાની જરુર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.