બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:03 AM, 17 January 2022
ADVERTISEMENT
સ્કૂલો બંધ રાખવી વ્યાજબી નથી- જૈમ સાવેદ્રા
વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષા નિદેશક જૈમ સાવેદ્રા અનુસાર મહામારીને જોતા સ્કૂલોને બંધ રાખવામાં હવે વ્યાજબી નથી અને ભલે નવી લહેર આવે સ્કૂલ બંધ કરવું છેલ્લો ઉપાય હોવો જોઈએ. સાવેદ્રાની ટીમ શિક્ષા ક્ષેત્ર પર કોરોનાની અસર પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી કે સ્કૂલોને ફરીથી ખોલવાથી કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે અને સ્કૂલ સુરક્ષિત સ્થાને નથી. સાવેદ્રાએ કહ્યું કે લોક નીતિની દ્રષ્ટિએ બાળકોના રસીકરણ સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી. કેમ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી.
ADVERTISEMENT
ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ-જૈમ સાવેદ્રા
વોશિંગ્ટનથી પીટીઆઈ સાથેની ઈન્ટરવ્યૂહમાં સાવેદ્રાએ કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોના વાયરસના પ્રસારની વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને જોડાવાના કોઈ પુરાવા નથી અને હવે સ્કૂલોને બંધ રાખવામાં કોઈ ઓચિત્ય નથી. ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ.
ADVERTISEMENT
સ્કૂલ બંધ થવાનો ખર્ચ વધારે થઈ જાય છે
તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી કોઈ બહાનું ન હોઈ શકે. વિશ્વ બૈંકના વિભિન્ન અધ્યયન અનુસાર જો સ્કૂલ ખોલવામાં આવે છે તો બાળકો માટે સ્વાસ્થ્ય જોખમ ઓછું થઈ જાય છે અને બંધ થવાનો ખર્ચ વધારે થઈ જાય છે.
ADVERTISEMENT

આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે
ADVERTISEMENT
તેમણે કહ્યું કે 2020 દરમિયાન આપણે અણસમજમાં પગલા ભરી રહ્યા હતા. આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં તત્કાલ સ્કૂલો બંધ કરવાના પગલ ભરવામાં આવ્યા છે. ત્યારથી ઘણો સમય વીતી ગયો છે અને 2020 અને 2021માં અનેક લહેર આવી ચૂકી છે.
બાળકોના રસીકરણ નહીં થવાની ચિંતાઓ અંગે પુછવા પર તેમણે કહ્યું કે એવો કોઈ દેશ નથી કે જેણે બાળકોના રસીકરણ બાદ સ્કૂલોને ફરી ખોલવાની શરત રાખી હોય. કેમ કે આની પાછળ કોઈ વિજ્ઞાન નથી અને લોક નીતિની નજરથી આનો કોઈ મતલબ નથી.
ADVERTISEMENT

... અસર પહેલાની સરખામણીએ વધારે ગંભીર છે
ભારતમાં મહામારીના કારણે સ્કૂલો બંધ થવા અંગે સાવેદ્રાએ કહ્યું કે અસર પહેલાની સરખામણીએ વધારે ગંભીર છે અને અભ્યાસના નુકસાનનો અંદાજો વધારે રહેવાની આશંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.