બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat 10 district had no reported corona positive case

બચાવ / ગુજરાત સરકારનો કોરોનાને રોકવા માસ્ટર પ્લાન, 10 જિલ્લામાં નહીં પ્રવેશવા દે કોરોના

Gayatri

Last Updated: 11:33 AM, 11 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાએ રાજકુમારીની વાર્તાની જેમ પોતાનું કદ વધાર્યુ છે. રાતે જેટલા કેસ નથી વધતા એટલા દિવસે વધે છે અને દિવસે નથી વધતા એટલા રાતે વધે છે.જોત જોતમાં કોરોનાએ પોતાનું પોત પ્રકાશ્યુ છે અને હાલ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 432 પર પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાત સરકારે જે જિલ્લાઓમાં કોરોના નથી ફેલાયો તે જિલ્લામાં કોરોનાને ફેલાતો અટકાવવા કમર કસી છે.

  • 10 જિલ્લા કોરોનાથી સલામત
  • શું કહ્યુ આરોગ્ય સચિવે?
  • છેવાડાના ગામો પણ કોરનાના સંકજામાં
  • કોરોનાના સાઈલેન્ટ કેરિયર છે ખતરનાક

શું છે સરકારનો માસ્ટર પ્લાન?

અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 જિલ્લામાં કોરોના એ પ્રવેશ કરી લીધો છે. 10 જ જિલ્લા કોરોનાથી બચી શક્યા છે ત્યારે ગુજરાત સરકાર તનતોડ મહેનત કરીને માસ્ટર પ્લાન બનાવ્યો છે કે, કોરોનાને ક્લસ્ટર કન્ટેન્ટમેન દ્વારા જે એરિયા ચેપગ્રસ્ત છે ત્યાં જ રોકી લેવામાં આવે અને તેને ફેલાતો અટકાવી દેવામાં આવે. આ અંગે સીએમ રૂપાણી સહિત તમામ કેબિનેટ અને ડોક્ટર્સ, કલેક્ટર તેમજ પોલીસ સહિતના લોકોએ સાથે મળીને એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. 

10 જિલ્લા કોરોનાથી સલામત

હવે માત્ર દસથી વધુ જિલ્લાઓ એવા છે જે કોરોનાથી સલામત રહ્યા છે. કેમ કે અહીં એક પણ કેસ નોંધાયો નથી. જોકે રાજ્ય આરોગ્ય વિભાગ ને એવી દહેશત છે કે શહેરોમાંથી ગયેલા લોકો ગામડાઓમાં પણ કોરોના ફેલાવી શકે છે. આ જોતા હવે  જે જિલ્લા માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી ત્યાં પણ હવે કોરોનાના  ટેસ્ટ કરવામાં આવશે .જેથી અગાઉથી પોઝિટિવ કેસ હોય તો તે જાણી શકાય.

શું કહ્યુ આરોગ્ય સચિવે?

આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે , જે જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યાં રેન્ડમલી કોરોનાના ટેસ્ટ કરી અને પોઝિટિવ કેસો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. દરેક જિલ્લામાં 100 જણાનો ટેસ્ટ કરવામાં આવશે. જેથી જે તે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે કે કેમ તે અંગે અગાઉથી જાણી શકાશે.

છેવાડાના ગામો પણ કોરનાના સંકજામાં

 ગુજરાતના છેવાડાના જિલ્લા જેમકે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, પાટણ, કરછ, ગીર સોમનાથ અને ભરૂચ સહિત વિસ્તારોમાં પણ કોરોનાના નામ કેસો નોંધાઈ ચુક્યા છે. 

કોરોનાના સાઈલેન્ટ કેરિયર છે ખતરનાક

અમદાવાદ રાજ્યભરમાં કેટલાય કેસમાં એવું જોવા મળ્યું છે કે દર્દીમાં કોઇ પણ પ્રકારના કોરોના ના લક્ષણ ન હોય તો પણ તે પોઝિટિવ હોય છે. આવા લોકને કોરનાના સાઈલેન્ટ કેરિયર કરે છે એટલે કે, આ લોકોને લક્ષણો ન હોવાને કારણે તેમનાથી કોરનાના ફેલાવાની ગતિમાં ખુબ વધારો થઈ જાય છે કારણ કે, દર્દીને ખુદ પણ ખબર નથી હોતી કે તે કોરના ગ્રસ્ત છે અને કોરના ફેલાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ