કોરોના વાયરસની સામે દુનિયા લડી રહી છે, ત્યારે તેની અસર સામાન્ય જનતાની સાથે સાથે ભગવાન પર પડી છે, જી હા વાંચીને આશ્ચર્ય થશે કે આવું કેવી રીતે? પરંતુ કોરોના વાયરસને કારણે મંદિર-ચર્ચ-મસ્જિદ તો બંધ થઇ જ ગયા છે આ સાથે જ ભારતની સુપ્રસિદ્ઘ ચારધામની યાત્રા પર તેની અસર થઇ છે.
વાસ્તવમાં કોરોના વાયરસને કારણે ચારધામના મંદિરોમાં સમાવેશ થતા કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખુલવાની તારીખમાં બદલાવ થઇ ગયો છે. બદ્રીનાથ ધામના કપાટ હવે 15 મેના સવારે 4.30 વાગે ખોલવાનાં આવશે, જ્યારે કેદારનાથ ધામના કપાટ ખુલવાની સંભવિત તારીખ 14 મે થઇ શકે છે. જોકે ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખુલાવાની તારીખ સામે આવી નથી.
કોરોના વાયરસના સંક્રમણની અસર ચારધામ યાત્રા પર પડી છે. સંક્રમણ રોકવા માટે સરકારે 3 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે, જેના કારણે બદ્રીનાથ અને કેદારનાથના કપાટ ખુલાવાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. દેવસ્થાનમ બોર્ડના મુખ્ય અધિકારી અનસુરા, હવે બદ્રીનાથ ધામને 15 મેના ખોલવામાં આવશે, લૉકડાઉનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય કેદારનાથ યાત્રાના કપાટ ખોલવા માટે વિચાર વિમર્શ કરીને તારીખની જાહેરાત કરવામા આવશે. જોકે આ માટેની સંભવિત તારીખ 14 મે છે. તો બીજી તરફ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલવાની તારીખ 26 એપ્રિલ હોઇ શકે છે. જોકે આ પહેલા 29 એપ્રિલે કેદારનાથ અને 30 એપ્રિલે બદ્રીનાથના કપાટ ખોલવાના હતા, પરંતુ લૉકડાઉન વધી જતા આ તારીખ બદલવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અનુસાર, જણાવ્યા મુજબ, પરંપરાઓનું નિર્વહન થઈ શકે તે માટે કેન્દ્ર પાસેથી વિશેષ પરવાનગી માંગવામાં આવી રહી છે. ગત વર્ષે 30 લાખ શ્રાદ્ધાળુંઓ ચારધામની યાત્રા કરી હતી. હોટેલ બુકિંગ, રેસ્તરાંથી મેથી ઓક્ટોબર સુધી લગભગ 12 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. પરંતુ આ વર્ષે 90 ટકા બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે.