બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'સરકાર અને BCCI બધા એકમત હતા', સૂર્યાએ જણાવ્યું પાક. ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યાનું કારણ

Asia Cup 2025 / 'સરકાર અને BCCI બધા એકમત હતા', સૂર્યાએ જણાવ્યું પાક. ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યાનું કારણ

Vishal Dave

Last Updated: 08:22 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમારને એક પત્રકારે પૂછ્યું કે શું તેમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો એ ખેલ ભાવનાની વિરુદ્ધ છે?

ભારતીય ક્રિકેટ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. તેમણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી દોરડા પાસે લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો. વાસ્તવમાં, આ એક પરંપરા છે, જેમાં મેચ સમાપ્ત થયા પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે.

સૂર્યકુમારને એક પત્રકારે પૂછ્યું કે શું તેમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો એ ખેલ ભાવનાની વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો ખેલ ભાવનાથી ઉપર છે. જોકે, અગાઉ સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.

પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવાના નિર્ણય અંગે સૂર્યાએ કહ્યું કે અમારી સરકાર અને BCCI આ નિર્ણય પર એકમત હતા. અમે અહીં ફક્ત રમત રમવા માટે આવ્યા હતા અને મને લાગે છે કે અમે તેમને યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા. પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર કરવાથી પાકિસ્તાની ટીમ નિરાશ થઈ હતી, અને તેથી જ સલમાન આગા એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા ન હતા.

સૂર્યાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો

ગયા અઠવાડિયે દુબઈમાં ટુર્નામેન્ટ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનોની મીટિંગ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન સાથે હાથ મિલાવતા જોવા મળ્યા બાદ સૂર્યકુમારની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીને શુભેચ્છા પાઠવવા બદલ પણ તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાની ટીમ રાહ જોતી રહી, ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો, ન મિલાવ્યા હાથ

સોશિયલ મીડિયાથી અંતર

સૂર્યકુમારે કહ્યું કે ટીમે સોશિયલ મીડિયા પર વિવાદ ટાળવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર થતી ચર્ચા વિશે વાત કરતાં, દુબઈ પહોંચવાના દિવસે, મેં, મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે નક્કી કર્યું હતું કે અમે બહારના અવાજોથી 70-80 ટકા અંતર રાખીશું. અમે વિચાર્યું હતું કે આમ કરીને અમે અમારી યોજનાઓને વધુ સારી રીતે અમલમાં મૂકી શકીશું. મને ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે, મારી ટીમ મને આ બધાથી દૂર રાખે છે, તો જ તમે સ્પષ્ટ મન સાથે મેદાનમાં પ્રવેશ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 India-Pakistan Match Handshake
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ