બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress spokesperson Hemang Rawal alleged that the former ministers did not vacate the bungalows in Gandhinagar
Dinesh
Last Updated: 03:49 PM, 26 April 2023
ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓએ બંગલા ખાલી ન કર્યાનો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી તેમજ જીતુ ચૌધરી, કિરિટસિંહ રાણાએ પણ બંગલો ખાલી કર્યો નથી તો તે મામલે જીતુ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે
હેમાંગ રાવલના આક્ષેપ
હેમાંગ રાવલે પૂર્વ મંત્રીઓ પર આક્ષેપ કર્યા છે કે, તેઓ મંત્રી નથી છતા પણ બંગલા ખાલી કરતા નથી. તેમણે કહ્યું કે, વિનુ મોરડિયાએ પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી અને આ લોકોએ બંગલા ખાલી ન કરતા અત્યારના મંત્રીઓને હજુ બંગલા મળ્યા નથી અને તેઓ સર્કિટ હાઉસમાં રહે છે. તેમણે કહ્યું કે, પૂર્ણેશ મોદીએ 11 નંબરનો બંગલો આજે પણ ખાલી કર્યો નથી આ સર્કિટ હાઉસની બાજુમાં અને મોકાની જગ્યા પર આ બંગલો છે. તેમણે કહ્યું કે, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરાવવામાં આવે અને નવા મંત્રીઓને ફાળવવામા આવે.
જીતુ ચૌધરીની પ્રતિક્રયા
બંગલો ખાલી ન કરવાના કોંગ્રેસના આક્ષેપ પર જીતુ ચૌધરીની પ્રતિક્રયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિધાનસભા ચાલુ હોવાથી બંગલો ખાલી કર્યો નથી અને ટૂંક સમયમાં જ ગાંધીનગરનો મંત્રી બંગલો ખાલી કરીશુ. આ મુદ્દે વર્તમાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. જો કે, પૂર્વ મંત્રીઓએ બંગલો ખાલી ન કર્યો હોવાનો હેમાંગ રાવલે ફોટા સાથે આક્ષેપ પણ કર્યો છે. અમુક મંત્રી ધારાસભ્ય ક્વોર્ટ્સ અને બંગલો બંન્ને વાપરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ