બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 04:49 PM, 7 July 2023
રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ પક્ષ તરફથી મહત્વની વિગતો સામે આવી છે. કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો ઉભા નહી રાખે જે સમગ્ર બાબતને લઈ મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે કે, સંખ્યાબળ ન હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.
બિનહરિફ વરણી કરાશે !
અત્રે તમને જણાવીએ કે, કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહી રાખે તો બિનહરિફ વરણી કરવામાં આવશે. રાજ્યસભાની 3 બેઠક પર 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જે ચૂંટણી લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે અને ગમે તે ક્ષણે ત્રણ બેઠકો પર નામો જાહેર થઈ શકે છે. આપને જણાવીએ કે, વર્તમાન 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉતરગુજરાતમાં નેતાને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા છે અને હવે દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતને તક મળે તેવી પ્રબળ શકયતાઓ પણ વર્તાઈ રહી છે. ભાજપ પાસેની 8 બેઠકોમાંથી 3 સાંસદ સૌરાષ્ટ્ર અને 3 સાંસદ ઉત્તર ગુજરાતના છે જ્યારે જ્યારે એક સાંસદ અમદાવાદ અને એક અન્ય રાજ્યના છે.
એસ.જયશંકરને રિપીટ કરે તેબી પ્રબળ શકયતાઓ
ત્રણ બેઠકો પર હાલ એક વિદેશમંત્રી એસ જયશકર ટર્મ પૂર્ણ થઈ રહી છે અને એસ.જયશંકરને રિપીટ કરે તેબી પ્રબળ શકયતાઓ પણ છે. અન્ય બે બેઠકોમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાના સ્થાને અન્ય નામોની શક્યતાઓ પણ છે
13 જુલાઇએ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
ગુજરાત, હિમાચલ અને કર્ણાટકની ચૂંટણી બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતની 3 રાજ્યસભા બેઠકો માટે પણ ચૂંટણી જાહેર કરાઇ
છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ રાજ્યસભા માટે 13 જુલાઇએ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હશે. જે બાદ 14 જુલાઇએ ફોર્મની તપાસ અને 17 જુલાઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નક્કી કરાઇ છે. તો રાજ્યસભાની ચૂંટણી 24 તારીખે યોજાનાર છે. જેનું પરિણામ 24ની સાંજ જ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ધારાસભ્યોનું સંખ્યાબળ જોતાં આ વખતે ત્રણેય બેઠક પર બિનહરીફ ભાજપના ઉમેદવારો મોકલવામાં આવે તેવી શક્યતા છે.
18 ઓગસ્ટે પૂરી થવા જઇ રહી છે ટર્મ
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ 3 બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો