બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલિવૂડના સંગીતકાર જોડી નદીમ-શ્રવણના સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું નિધન થયું છે. તેમને મુંબઈની રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. 67 વર્ષિય સંગીતકાર શ્રવણ રાઠોડને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણકુમાર રાઠોડના પુત્રએ જણાવ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમના હ્રદયમાં સમસ્યા હતી અને લોકડાઉનને કારણે તેને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
Shravan Rathod of musician Nadeem-Shravan duo passed away at SL Raheja Hospital in Mumbai this evening.
— Soumyadipta (@Soumyadipta) April 22, 2021
He was Covid positive and on ventilator for the past two days.
Om Shanti. pic.twitter.com/58ruWhK14c
ADVERTISEMENT
નદીમે જલ્દી સ્વસ્થ રહેવાની શુભેચ્છા પાઠવી હતી
ADVERTISEMENT
તેના એક સમયના , મ્યુઝિક પાર્ટનર નદીમ સૈફીએ ઇન્સ્ટાગ્રામ ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. તેમણે કહ્યું હતું કે, "હું મારા બધા મિત્રો અને ચાહકોને હાથ જોડીને વિનંતી કરું છું કે હાલના તબક્કે મુંબઈની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવેલા મારા સાથી શ્રવણની ઝડપથી સારવાર માટે પ્રાર્થના કરો."
Film Industry loses one of the most popular music composers #ShravanRathod of #NadeemShravan fame. His demise today at 9.30 pm has created a void in the music & film fraternity.
— Ashoke Pandit (@ashokepandit) April 22, 2021
He will remain alive with his music. Heartfelt Condolences to the family.
ॐ शांति ! 🙏 pic.twitter.com/VJQZrJQbgy
ADVERTISEMENT
1990 ના દાયકામાં નદીમ-શ્રવણ જોડીનો મ્યુઝિક વર્લ્ડમાં ખૂબ દબદબો હતો. આશિકી ફિલ્મમાં તેના રોમેન્ટિક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. બંનેએ સાજન, સાથી, દિવાના, ફૂલ ઔર કાંટે, રાજા, ધડકન, દિલવાલે, રાજ, રાજા હિન્દુસ્તાની, દિલ હૈ કિ માનતા નહીં, સડી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જેના ગીતો ખૂબ જ પ્રખ્યાત થયા હતા. બંનેએ સૌ પ્રથમ 1979 માં ભોજપુરી ફિલ્મ 'દંગલ' માં પોતાનું સંગીત આપ્યું હતું. પરંતુ નદીમ-શ્રવણને ફિલ્મ 'આશિકી' થી ઓળખ મળી.
ADVERTISEMENT
Famous music composer Shravan Rathod of Nadeem-Shravan fame dies at Mumbai S L Raheja hospital due to #covid19 today pic.twitter.com/Sh7LBzxqhQ
— Pawan Durani (@PawanDurani) April 22, 2021
ADVERTISEMENT
સિનેમા જગતમાં શોકનું મોજું
શ્રવણ કુમારના અવસાનથી સિનેમા જગતમાં શોકનું મોજુ સર્જાયું હતું. બધા જ સ્ટાર્સ તેની જલ્દી તબિયત લથાય તેવું ઈચ્છતા હતા, પરંતુ તેના અચાનક વિદાયના સમાચાર મળતાં તે બધા ચોંકી ઉઠ્યા છે. ઘણાં સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.