બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Parth
Last Updated: 09:59 AM, 3 May 2021
રાજ્યમાં IAS અધિકારીઓમાં ઓક્સિજન વોરના સંકેત
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સતત પ્રજાને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં પરિસ્થિતિ વધારે ખરાબ છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બેડ અને ઑક્સીજન માટે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓને હલ કરવાના બદલે રાજ્યના અધિકારીઓ વચ્ચે જ વોર જેવી પરિસ્થિતિ ઊભું થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અધિકારીઓ વચ્ચે ગંદુ રાજકારણ ચાલી રહ્યું છેઃ સૂત્ર
રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જુદા જુદા અધિકારીઓને જુદી જુદી જવાબદારી આપવામાં આવી છે પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અધિકારીઓમાં અંદરોઅંદર ગંદુ રાજકારણ ચાલુ થઈ ગયા હોવાના સંકેત છે. પોતાની કામગીરી સારી દેખાડવા માટે અધિકારીઓ વચ્ચે ઑક્સીજન વોરના સંકેત છે, આટલું જ નહીં અધિકારીઓ હિન પ્રકારની વૃત્તિથી કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
કેટલાક અધિકારીઓ સિનિયારિટીનો કરી રહ્યાં છે ખોટો ઉપયોગઃ સૂત્ર
સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમુક અધિયકારીઓ સિનિયોરિટીનો પણ ખોટો ઉપયોગ કરી રહ્યા છે, અન્ય અન્ય જિલ્લાઓમાં જે ઑક્સીજન આપવામાં હોય તે પોતાના જિલ્લામાં પાઠવી દે છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ઑક્સીજનને લઈને સમસ્યા ઊભી થતી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તે અનુસાર જો અધિકારીઓ આ પ્રકારે વર્તન કરી રહ્યા હોય તો અત્યારે ગુજરાત મહામારી સામે લડી રહ્યું છે ત્યારે પોતાનો રેકોર્ડ સારો રાખવા માટે આ અધિકારીઓ લોકોના જીવ સાથે રમી રહ્યા છે.
સરકારને ધ્યાને આવતા અધિકારીઓને ખખડાવ્યાઃ સૂત્ર
નોંધનીય છે કે સરકારને અધિયારીઓ વચ્ચે ચાલી રહેલા આ વોર વિશે જાણ થઈ હોવાનો દાવો પણ સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આ સમગ્ર મામલો ધ્યાને આવતા સરકારે પણ આ અધિકારીઓને ખખડાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો