બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / cm yogi adityanath in election rally bulandshahr ahead of election 2022

ચૂંટણી જંગ / 10 માર્ચ પછી આ લોકોની બધી ગરમી શાંત કરી દઇશું, ફરી એક વખત CM યોગીના સપા પર આકરા પ્રહાર

Mayur

Last Updated: 02:52 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UP Election 2022 ના પડઘમ વાગી રહ્યા છે. બુલંદશહરમાં એક ચૂંટણી સભા દરમિયાન ઉત્તરપ્રદેશના CM Yogi Adityanath એ કહ્યું હતું કે 10 માર્ચના પરિણામ પછી આ લોકોની બધી ગરમી ઉતારી દઇશું.

  • આ લોકોની બધી ગરમી શાંત કરી દઇશું
  • યોગી આદિત્યનાથે ફરી કર્યા સપા પર આકરા પ્રહાર 
  • બુલંદશહરમાં એક ચૂંટણી સભામાં CM yogi બોલ્યા 

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે. હવે જંગ રસાકસીનો થઈ ગયો છે. એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને તેના નેતા અખિલેશ યાદવને આડે હાથ લીધા હતા. આ અગાઉ પણ યોગી આદિત્યનાથ સપા પર આકરા પ્રહારો કરી ચૂક્યા છે ત્યારે તેમણે ફરી વિવાદ થાય એવું નિવેદન આપવાની સાથે કહ્યું હતું કે આ ;લોકો ફરી આવી ગયા છે. 

બુલંદશહરમાં ચૂંટણી સભામાં બોલ્યા CM Yogi Adityanath

ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ ઉત્તરપ્રદેશમાં તમામ પાર્ટીઓ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તમામ પાર્ટીઓ પોતાનું જોર લગાવી રહી છે એવામાં બુલંદશહરમાં એક  ચૂંટણી સભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સપા પર જોરદાર પ્રહાર કરતાં દેખાયા હતા. 

માલ એ જ છે માત્ર કવર નવું છે 
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 'આ લોકો (સમાજવાદી પાર્ટી) એક વાર ફરી આવી ગયા છે. માલ એ જ છે માત્ર કવર નવું છે. તેઓ ફરી પોતાનું એક નવું કવર લઈને તમારી વચ્ચે આવી ગયા છે. માલ તો એ જ જૂનો અને ખરાબ છે. જેણે તમને દંગાઓ આપ્યા  જેમને તમને માફિયા આપ્યા અને જેણે અસુરક્ષા આપી તેઓને ફરી શાસનમાં આવવું છે પણ કયામતના દિવસે પણ તમારું આ સપનું સાકાર થવાનું નથી એ યાદ રાખજો.' CM યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે યાદ રાખજો 10 માર્ચ પછી તમારી બધી ગરમી શાંત કરાવી દઇશું. 

વેક્સિનના ડોઝની જેમ વોટિંગના ડોઝની જરૂર 
આ ઉપરાંત CM Yogi Adityanath બોલ્યા હતા કે જે લોકો વેક્સિન મુદ્દે પ્રશ્નો કરીને તેને મોદી વેક્સિન કે ભાજપની વેક્સિન ગણાવી રહ્યા હતા તેને લોકોએ વેક્સિનનો ડોઝ લઈને લપડાક આપી હતી. એ જ રીતે હવે વોટિંગનો ડોઝ આપીને  UP Election 2022 માં પણ તેઓને લપડાક આપવાની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ