કોરોના વાયરસના કારણે અમદાવાદમાં જન્મદરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોનામાં મૃત્યુદર તો વધ્યો પરંતુ તેની સામે જન્મદરમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદમાં જન્મદર ઘટવાના કારણ શું?
દંપતીઓએ ટાળ્યું ફેમિલી પ્લાનિંગ
અમદાવાદમાં જન્મદર 15 ટકા ઓછો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ની સરખામણીએ 2021માં શહેર અને જિલ્લા વિસ્તારોમાં 15 ટકા ઓછો જન્મદર નોંધાયો છે. જ્યારે સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી,2020થી એપ્રિલ, 2020 દરમિયાન 20 હજાર 77 બાળકો જન્મ્યા હતા. સામે 2021માં આ જ સમયગાળામાં 17 હજાર 68 બાળકો જન્મ્યા છે.
26 ટકા ઓછો જોવા મળ્યો બાળકોનો જન્મદર
અમદાવાદ જિલ્લામાં ફેબ્રુઆરી, 2020થી એપ્રિલ 2020 સુધીમાં 5 હજાર 33 બાળકો જન્મ્યા, જ્યારે 2021માં આ જ સમયગાળામાં 4 હજાર 281 બાળકોનો જન્મ થયો છે. અમદાવાદ સહેરમાં વર્ષ 2018ની સરખામણીએ 2021માં જન્મદર 18 ટકા અને જિલ્લામાં 26 ટકા ઓછો રહ્યો છે.
2 વર્ષના મે મહિનાની સરખામણીએ ઘટ્યો જન્મદર
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષના મે મહિનાની સરખામણીએ આ વર્ષે મેમાં જન્મદર ઘટ્યો છે. મે 2019માં 8 હજાર 216, મે-2020માં 5 હજાર 749, આ વર્ષે મે મહિનાની 12 તારીખ સુધી 1 હજાર 939 બાળક જન્મ્યા હતા.
શું કહે છે ડોક્ટર્સ
ત્યારે જન્મદર ઓછો રહેવા પાછળનું કારણ ડોક્ટરોના મતે કોરોના મહામારી, આર્થિક તંગી, આંતરરાજ્ય ટ્રાન્સફર, રોજગાર બંધ થયા, માનસિક તણાવ છે. સાથે જ ઘરમાં વૃદ્ધ સભ્યો અને બાળકો અને માતાને સંક્રમણનું જોખમ હોવાથી પણ ઘણાં દંપતીઓએ ફેમિલી પ્લાનિંગ ટાળ્યું હોવાનું પણ ડોક્ટરો કહે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 455 નવા કેસ નોંધાયા તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,063 દર્દીઓ સાજા થયાં. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 455 નવા કેસ નોંધાયા છે, તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,997 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,063 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,00,075 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 253 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 10,249 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 2,02,64,893 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 2,02,64,893 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,34,501 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 54 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 71 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 25 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 41 કેસ, જ્યારે ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 22 કેસ અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે.