બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Bijal Vyas
Last Updated: 09:57 PM, 12 September 2023
Cataract Risk:શું તમે પણ સમય સાથે તમારા માતા-પિતાને ઓછું જોવાનું શરૂ કર્યું છે? જો હા, તો તેને માત્ર ઉંમર સંબંધિત સમસ્યા ન માનો, કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર આંખના રોગની નિશાની પણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, 50 વર્ષની ઉંમર પછી મોતિયાની સમસ્યા સામાન્ય માનવામાં આવે છે. મોતિયા એ આંખનો રોગ છે જેમાં લેન્સના છારી બાજવાની સમસ્યા વધી જાય છે. આ સ્થિતિમાં, તમે અસ્પષ્ટ દ્રષ્ટિ અથવા પ્રકાશની આસપાસ ઝગઝગાટની સમસ્યાનો સામનો કરવાનું ચાલુ રાખી શકો છો. સમયસર તેની સારવાર કરવી જરૂરી માનવામાં આવે છે.
સંશોધકોએ શોધી કાઢ્યું કે, જો મોતિયાની સમસ્યાનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો આંખોની રોશની ગુમાવવાનું જોખમ રહેલું છે. મોતિયાના નિદાન માટે સર્જરીની જરૂર પડે છે જેમાં કૃત્રિમ લેન્સ લગાવવામાં આવે છે.
આવો જાણીએ કે, કયા લોકોને આ રોગનો ખતરો વધુ છે અને તેનાથી બચવા માટે કયા પ્રયાસો કરી શકાય?
શા માટે થાય છે મોતિયાની સમસ્યા?
મોટા ભાગના કિસ્સાઓમાં, વૃદ્ધાવસ્થા, આંખોમાં ઇજા અથવા આંખના લેન્સને બનાવતા પેશીઓમાં ફેરફારને કારણે મોતિયા વિકસે છે. લેન્સમાં હાજર પ્રોટીન અને તંતુઓ તૂટવા લાગે છે, જેનાથી દ્રષ્ટિ અસ્પષ્ટ થવાનું જોખમ વધી જાય છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, કેટલીક આનુવંશિક વિકૃતિઓ પણ મોતિયાનું જોખમ વધારી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે, સ્ટીરોઈડ દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ પણ મોતિયાના વિકસિત થઇ શકે છે.
કેવી રીતે ઓળખવુ મોતિયો છે કે નહીં ?
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, મોતિયાના લક્ષણોની સમયસર ઓળખ અને તેની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં તમને ઝાંખી દ્રષ્ટિ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આંખોમાં થતા કેટલાક અન્ય પ્રકારના ફેરફારો અંગે પણ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
મોતિયાથી બચાવ માટે શું કરવું ?
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, મોતિયાથી બચવા માટે કોઈ ચોક્કસ ઉપાય નથી, જો કે કેટલાક સરળ ઉપાયો અપનાવીને આંખના રોગોથી બચી શકાય છે. આ માટે તમારી આંખોની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે, ધૂમ્રપાન તમારા જોખમોને પણ વધારી શકે છે, તેથી આંખોને સ્વસ્થ રાખવા અને મોતિયાને રોકવા માટે ધૂમ્રપાન છોડવાની સલાહ આપવામાં આવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ