બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 12:45 PM, 30 August 2023
વડોદરા ન્યૂઝઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય એ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એવામાં વડોદરામાં ગઈકાલે રાત્રે નિર્માણાધીન બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી જતાં અધિકારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી.
બુલેટ ટ્રેનનું પિલર નમી પડતા તંત્ર થયું દોડતું
વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બુલેટ ટ્રેનની કામગીરી સંભાળતા અધિકારીઓ રાત્રે જ વિશ્વામિત્રી સ્ટેશન પાસે દોડી આવ્યા હતા અને પિલરને ઉભા કરવાની કામગીરી શરું કરાવી હતી.
અધિકારીઓએ રાત્રે જ કામગીરી કરાવી શરૂ
અધિકારીઓએ રાત્રે જ ક્રેનની મદદથી નમી ગયેલા પિલરની કામગીરી શરૂ કરાવી હતી. અધિકારીઓની હાજરીમાં જ પિલર પરથી નમી ગયેલા સળિયા સીધા કરાયા હતા. નિર્માણાધીન બુલેટ ટ્રેનના પિલરનું સ્ટ્રક્ચર અચાનક નમી પડતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે. એવામા હાઇ સ્પીડ રેલ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે.
2 કલાકમાં પહોંચી જવાશે અમદાવાદથી મુંબઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે, જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટની કુલ લંબાઈ 156 કિમી અને નગર હવેલીમાં 4 કિમી છે. પ્રોજેક્ટનું કામ આ તમામ જિલ્લાઓમાં શરૂ થઈ ચૂક્યું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે.
સળગતા સવાલ
- કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું કે નિર્માણાધીન પિલરનું સ્ટ્રક્ચર નમી ગયું?
- શું કોઈ ધારાધોરણ મુજબ પિલરનું કામ નથી કરવામાં આવતું?
- શું કામની નબળી ગુણવત્તાને લીધે પિલરના સળિયા નમી ગયા?
- કોની બેદરકારીના લીધે નિર્માણાધીન પિલરના સળિયા નમી ગયા ?
- શું હાઈસ્પીડ રેલવેતંત્ર કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરશે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime