બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / budhhadeb bhattacharjee refused receiving padma

સન્માન અસ્વિકાર્ય / આ લોકોએ પદ્મ પુરસ્કારો લેવાની ચોખ્ખી ના પાડી દીધી, એવું તે શું કારણ છે જાણો

Pravin

Last Updated: 01:47 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વખતે ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વખતે ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. 17ને પદ્મ ભૂષણ સન્માન અને 107 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. પદ્મ ભૂષણ સન્માન મેળવનારા લોકોમાં એક નામ છે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય. જેમણે પુરસ્કાર લેવાની ના પાડી દીધી છે. 

 

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કહેવું છે કે, તેમને આ વિશે જાણ કરવામાં આવી નહોતી. તેમને સાર્વજનિક બાબતોને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ 2000થી 2011 સુધી બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતાં.

CPIM મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કહેવું છે કે, મને પદ્મભૂષણ પુરસ્કાર વિશે કંઈ ખબર નથી. મને આ અંગે કોઈએ કંઈ જણાવ્યું પણ નથી. જો મને પદ્મભૂષણ આપવામાં આવ્યું છે, તો હું તેને અસ્વિકાર કરું છું.

 

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આ નિર્ણય પર કહ્યું કે, તેમણે યોગ્ય કર્યું. તેઓ ગુલામ નહીં આઝાદ બનવા માગે છે.

બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પુરસ્કાર નહીં સ્વિકારવાની વાત કરવાથી રાજકીય પ્રતિક્રિયા આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર તેમના આ પ્રકારના નિર્ણયથી લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા 128 લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોની આ જાહેરાત બાદ વિવાદ પણ થયો છે. પદ્મ વિભૂષણ મેળવનારામાંથી એક પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ અંગે તેમને જણાવવામાં આવ્યું નહોતું. જેથી તે પુરસ્કાર લઇ શકે નહીં. બુદ્ધદેવ 2000થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતી. તે જાદવપુર વિધાનસભાથી સળંગ 24 વર્ષ સુધી ચૂંટાયા હતા. તેમણે સિંગુર અને નંદીગ્રામ જેવા આંદોલનના કારણે સત્તા ગુમવવી પડી હતી. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય બાદ બંગાળની પ્રખ્યાત સિંગર સંધ્યા મુખર્જીએ પણ પદ્મ શ્રી લેવાનો ઈન્કાર કરી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ