બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
VTV / ભારત / VIDEO : 'ટુકડામાં ઘેર લાવીતી' વલસાડમાં પ્રિયંકા ગાંધી ભાવુક, પિતા-દાદીને યાદ કરતાં સાધ્યું નિશાન
Last Updated: 07:20 PM, 27 April 2024
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે ગુજરાતના વલસાડના ધરમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પ્રિયંકા ગાંધી પોતાના પરિવારનું નામ લેતાં ભાવુક બન્યાં હતા.
Congress General Secretary Priyanka Gandhi takes on Modi's lies and constant abuses against Gandhi Nehru family.
— Anshuman Sail Nehru (@AnshumanSail) April 27, 2024
Priyanka Gandhi is on fire in this election. pic.twitter.com/4pzsfdk0LZ
પિતા-દાદીએ દેશ માટે બલિદાન આપ્યું
તેમણે કહ્યું કે મેં ઘણા વડાપ્રધાનો જોયા છે જેમાં મારા પિતા રાજીવ ગાંધી પણ સામેલ છે જેમને હું ટુકડામાં પાછા લાવી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મેં ઘણા વડા પ્રધાનો જોયા છે, માત્ર મારા પરિવારમાંથી જ નહીં. હા, ઈન્દિરા ગાંધી પણ એમાંના એક હતા, તેમણે આ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. રાજીવ ગાંધી પણ વડા પ્રધાન હતા, હું તેમને ટુકડામાં ઘેર લાવી હતી. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. તમે જોયું હશે કે ભાજપના ઘણા નેતાઓ, મંત્રીઓ અને ઉમેદવારો વિવિધ સ્થળોએ કહી રહ્યા છે, કે તેઓ બંધારણને બદલશે. પરંતુ પીએમ મોદી કહી રહ્યા છે કે તેમનો આવો કોઈ ઈરાદો નથી. જો તમે તેમનો ઇતિહાસ જોશો, તો તમને ખ્યાલ આવશે કે તેઓ જુનિયર નેતાઓને પાર્ટી શું કરવા જઈ રહી છે તે જણાવે છે અને પછી શરૂઆતમાં તેને નકારી કાઢે છે,
પ્રિયંકા ગાંધી આક્રમક મૂડમાં
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતી વખતે પોતાના પિતા અને દાદીના બલિદાનને યાદ કર્યાં હતા. આ પહેલાના ભાષણમાં પણ પ્રિયંકાએ પીએમ મોદી પર 'મંગળસૂત્ર'થી પલટવાર કર્યો હતો.
1991ની સાલમાં થઈ હતી રાજીવ ગાંધીની હત્યા
1991ની સાલમાં તમિલનાડુના શ્રીપેરમ્બદુમમા તમિલ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ)ના 22 વર્ષીય સભ્યએ આરડીએક્સ (RDX) થી ભરેલા પટ્ટાનો વિસ્ફોટ કર્યો હતો જેમાં રાજીવ ગાંધીનું મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ