બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's 10th Good Governance Yatra in Gujarat
Priyakant
Last Updated: 02:41 PM, 2 January 2023
ગુજરાતમાં 10મી સુશાસન યાત્રાનો પ્રારંભ થયો છે. ભારતમાં સુશાસન યાત્રાના નેજા હેઠળ 3 દિવસની સુશાસન યાત્રા નીકળશે. આ સાથે 1 વર્ષ દરમિયાન 9 રાજ્યમાં પૂર્ણ કરવામાં સુશાસન યાત્રા આવશે. સુશાસન યાત્રા શરૂ કરવા અંગે તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, મોદીજીએ વિકાસનું જે ગુજરાત મોડલ બનાવ્યું છે તે કાર્યકરોને બતાવાશે.
10મી સુશાસન યાત્રાનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આ સુશાસન યાત્રા શરૂ કરવા અંગે તેજસ્વી સૂર્યાનું નિવેદન સામે આવ્યું છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, સુશાસન યાત્રા દરમ્યાન કાર્યકરો પોતાના રાજ્યમાં પ્રચાર કરશે. આ સાથે મોદીજીએ વિકાસનું જે ગુજરાત મોડલ બનાવ્યું છે તે કાર્યકરોને બતાવાશે. તેજસ્વી સૂર્યાએ ઉમેર્યું હતું કે, 30 વર્ષથી ગુજરાત સુશાસનનો પર્યાય છે.
તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, સુશાસન યાત્રા દરમ્યાન ઈફ્કો, ગિફ્ટ સિટી, ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેવાશે. મહત્વનું છે કે, દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકાર યોજનાઓ અંગે માહિતીઓ આપશે.
વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ યુવા ભાજપ દ્વારા હવે સુશાસન યાત્રાની કવાયત શરૂ કરાઇ છે. જેમાં યુવા ભાજપ દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકાર યોજનાઓ અંગે માહિતીઓ આપશે. ઉપરાંત તેમના પ્રશ્નો અંગે પણ પક્ષના યુવા સંગઠનકારો જાણીને તે સરકાર સુધી પહોંચાડશે અને તેનો ઉકેલ લાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ