બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 02:46 PM, 7 March 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં તેમના લંડન પ્રવાસને લઈને ચર્ચામાં છે. હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીની લંડન મુલાકાતને લઈને આકરા પ્રહારો કર્યા છે. બીજેપી નેતાએ કહ્યું કે, જ્યારે તમે વિદેશ જાઓ છો ત્યારે તમારી સાથે શું થાય છે, બધા લોકશાહી, શરમ, પરંપરા અને ગૌરવ ભૂલી જાય છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ,અમને ભારતમાં બોલવા દેવામાં આવતા નથી. ગૃહમાં એક વેપારી સંસ્થા વિરુદ્ધ ભાષણ આપ્યું. કોંગ્રેસે ઉત્તર પૂર્વમાં પ્રચાર કર્યો અને તેમને શૂન્ય મળ્યું. દેશમાં કોઈ સાંભળતું ન હોય તો વિદેશમાં જઈને વિલાપ કરે છે. લંડનમાં પોતાના ભાષણમાં તેમણે લોકશાહી, સંસદ, જાહેર રાજકીય વ્યવસ્થાનું અપમાન કર્યું હતું.
ભાજપ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી માઓવાદીઓ અને નિરંકુશતાના પ્રભાવમાં છે. આનાથી વધુ બેજવાબદારી શું હોઈ શકે કે તે સંઘની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી રહ્યા છે. આ નિંદનીય છે. સંઘ રાષ્ટ્રવાદી સંગઠન છે. અમને સ્વયંસેવક હોવાનો ગર્વ છે. આજે સંઘના આદર્શોથી પ્રેરિત હજારો લોકો દેશની સેવા કરે છે. તમારા પરદાદાથી લઈને રાજીવ ગાંધી સુધી સંઘની ટીકા કરતા હતા, પરંતુ કલ્પના કરો કે આજે પણ આપણો પક્ષ આગળ વધી રહ્યો છે.
રાહુલ ગાંધી સામે બીજેપી નેતા લાલઘૂમ
બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી માઓવાદીઓ અને નિરંકુશોના પ્રભાવમાં છે, રાહુલ ગાંધી વિદેશની ધરતી પર ચીનને આટલો પ્રેમ કેમ કરે છે? પરનાના જીને લઈને ચીનમાં શું થયું. સૈનિકો કપડાના ચંપલ પહેરીને લડતા. રાહુલ વ્યૂહાત્મક સુરક્ષાને કેટલી સમજે છે તે વિવાદનો વિષય છે. અમે રાહુલના ચીન પરના નિવેદનની નિંદા કરીએ છીએ. બ્રિટિશ સંસદનો ઉપયોગ ભારતનું અપમાન કરવા માટે થાય છે. તો બ્રિટિશ સાંસદોએ પણ તેનો વિરોધ કરવો જોઈએ.
It has become Rahul Gandhi's habit to insult India in foreign countries: Ravi Shankar Prasad
— ANI Digital (@ani_digital) March 3, 2023
Read @ANI Story | https://t.co/mI3ClO1be1#RaviShankarPrasad #India #RahulGandhi pic.twitter.com/duOqGKVaJY
રાહુલે ભાજપ પર કર્યા હતા પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની તાજેતરની લંડનની મુલાકાતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે, શાસક પક્ષ "નફરત અને હિંસાની વિચારધારા" ને અનુસરે છે અને તેની વિચારધારાનું કેન્દ્ર "કાયરતા" છે. રાહુલે રવિવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના યુકે યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિદેશી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યુમાં વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનનો ઉલ્લેખ કરતા આ વાત કહી.
શું કહયું હતું રાહુલ ગાંધીએ ?
ભાજપનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું કે, તેઓ (ભાજપ) "દ્વેષ અને હિંસાની વિચારધારા ધરાવે છે, એક અભદ્ર વિચારધારા છે જે લોકો પર તેમના વિચારો માટે હુમલો કરે છે". તમે નોંધ્યું હશે કે આ ભાજપ અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના સ્વભાવમાં છે," રાહુલે એક ઇન્ટરવ્યુ દરમિયાન જયશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું. પરંતુ જો તમે નોંધ્યું હોત, તો તમે જોયું હોત કે તમે કહ્યું હતું કે, 'ચીન આપણા કરતાં વધુ શક્તિશાળી છે'. એ જાણીને કે ચીન આપણા (ભારત) કરતાં વધુ શક્તિશાળી છે, આપણે તેની સાથે કેવી રીતે લડી શકીએ? કાયરતા આ વિચારધારાના હાર્દમાં છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે (વિનાયક દામોદર) સાવરકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, એકવાર તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો અને તે દિવસે ખૂબ જ આનંદ થયો. તેથી જો પાંચ લોકો એક વ્યક્તિને મારતા હોય અને એક વ્યક્તિને તેનાથી આનંદ મળતો હોય તો તે કાયરતા છે, જો લડવું હોય તો એકલા લડો.
અનુરાગ ઠાકુરે શું કહ્યું ?
ભાજપે રાહુલ પર આરોપ લગાવ્યો છે કે, ચીનના વખાણ કરીને તેણે વિદેશની ધરતી પરથી ભારતને બદનામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે રાહુલની તેમની ટિપ્પણી માટે ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાએ દેશ સાથે દગો ન કરવો જોઈએ. ઠાકુરે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું, ભારત સાથે દગો ન કરો, રાહુલ ગાંધીજી. ભારતની વિદેશ નીતિ સામે વાંધો એ મુદ્દાની તમારી નબળી સમજણનો પુરાવો છે. તમે વિદેશી ધરતી પરથી ભારત વિશે જે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છો તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં. બીજેપી નેતાએ કહ્યું, “રાહુલ ગાંધીને વિવાદોની લત લાગી ગઈ છે. વિદેશી મિત્રો હોય, વિદેશી એજન્સીઓ હોય કે વિદેશી ચેનલો હોય કે વિદેશી જમીન હોય, તેનો દુરુપયોગ કરીને તે ભારતને બદનામ કરવાની કોઈ તક છોડતો નથી. તેમણે કહ્યું, તેમની ભાષા, તેમના વિચારો, તેમની કાર્યશૈલી બધું જ શંકાસ્પદ છે. આવું પહેલીવાર નથી થયું, રાહુલજી વારંવાર આવું કરી ચૂક્યા છે. કોવિડ-19 રોગચાળો આવ્યો ત્યારે પણ તેણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime